પાવાગઢની કાયાપલટ કરવામાં આવશે

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની જુદા જુદા ચાર ફેઝમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવનાર છે શહેર નજીક આવેલ માતાજીના શક્તિપીઠ પૈકીનું એક એટલે પાવાગઢ આ પાવાગઢની ટોચે કાળકા માતાનું જગ વિખ્યાત મંદિર આવેલું છે. આ પવિત્ર યાત્રાધામમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા આવતાં હોય છે દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ પણ મોસમમાં કોઈ જાતની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.દૂધિયા તળાવ પાસે સુંદર બગીચાનું પણ નિર્માણ કરાશે સાથે ત્યાં આવનારા ભક્તો માટે થિયેટર પણ બનાવશે.
યાત્રાધામ પાવાગઢમાં માચીથી લઈને છેક મંદિર સુધી વિવિધ સ્વરૂપે નવીનીકરણની કામગીરી કરાઇ રહી છે. જેમાં પગપાળા રસ્તાઓ પર ચાલીને માતાજીના દર્શન માટે જનારા ભક્તોને તાપ, વરસાદ જેવી કોઈ પણ ઋતુમાં તકલીફ ન પડે તે માટે નીચેથી ઉપર સુધી શેડ બનાવવામાં આવશે. આ શેડ સીસીટીવી કેમેરા અને લાઈટિંગથી સજ્જ હશે. આ સાથે દૂધિયા તળાવ પાસે સુંદર બગીચાનું પણ નિર્માણ કરાશે, સાથે ત્યાં આવનારા ભક્તો માટે થિયેટર પણ બનાવશે. જેમાં બેસી ભક્તો માતાજીની ફિલ્મો જોઈ શકશે. ત્યારબાદ મંદિર સુધી પહોંચવાના પ્રાચીન પગથિયાં કે જે નાના હોવાના કારણે ત્યાં ભક્તોની ભારે ભીડ થાય છે ત્યાં ઉપર ચડવા અને ઊતરવા માટે અલગ અલગ પગથિયાનું નિર્માણ કાર્ય ચાલુ છે.
જેના કારણે ભક્તો આસાનીથી મંદિર સુધી પહોંચી શકશે.મંદિરનાં મુખ્ય પગથિયાંનું નિર્માણ કાર્ય કરાઈ રહ્યું છે મંદિરના ટ્રસ્ટી રિનોવેશન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પાવાગઢ યાત્રાધામના રિનોવેશનની કામગીરી અંદાજે એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. આ રિનોવેશનની કામગીરી ચાર તબક્કામાં કરવામાં આવી રહી છે. જેમાં હાલ બીજા તબક્કાની કામગીરી ચાલુ છે. જેમાં રસ્તા પર શેડ બાંધવામાં આવશે અને આ શેડમાં કુલ 100 જેટલા સીસીટીવી કેમેરા અને લાઈટો લગાવવામાં આવશે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાના કારણે મંદિરના મુખ્ય પગથિયા પર ભારે ભીડ થતી હોય છે આ ભીડ ન થાય તે માટે ખાસ નવા પગથિયાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
