બગસરાના જુની હળિયાદ ગામે લોક પ્રશ્ને આપવામાં આવી આંદોલનની ચીમકી

બગસરા તાલુકો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક બાજુ કોરોનાવાયરસ ની દહેશત ફેલાયેલી છે ત્યારે જુની હળિયાદ ગામ ની મુલાકાત લેતા વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે ત્યારે આ ગામમાં રહેણાંક વિસ્તારની આજુબાજુમાં પાણી ભરાવાના પ્રશ્ને લોકો દ્વારા ગ્રામ પંચાયત ને પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ પરંતુ આ પાણી ભરાવાના પ્રશ્નોનો નિકાલ ન થતા ટીડીઓ સાહેબને પણ અરજી દ્વારા રજૂઆત કરવામાં આવેલ પણ આ પ્રશ્નનો નિકાલ ન થતા લોકો દ્વારા મીડિયાનો સંપર્ક કરતા જણાવેલ કે અમારા ઘરની આજુબાજુ વર્ષો જૂનો છે તેથી આ પાણી ભરાવાના પ્રશ્નની જુની હળીયાદ ગામની પંચાયતને વારંવાર રજૂઆત કરતા પ્રશ્નોનો નિકાલ કરેલ નથી પરંતુ હવે પછી જો આવનારા સમયમાં આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો નાછૂટકે અમારે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
રિપોર્ટ : ઈમ્તિયાઝ સૈયદ (બગસરા)
