રેલવે ટિકિટના કાળાબજાર: 22 ઈ- ટિકીટો કબજે કરાઈ હતી

સુરત ટ્રેનોનું રાબેતા મુજબ સંચાલન શરૂ થયું નથી અને ફક્ત ગણતરીની ટ્રેનો દોડે છે ત્યારે લોકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવી ટિકિટના કાળાબજાર કરતા 3 એજન્ટોને આરપીએફ એ પકડી પાડ્યો હતા. 3 તારીખે સુરત આરપીએફને જાણકારી મળી હતી કે વાપીમાં કોઈ એજન્ટ મેંગો સોફ્ટવેરનો ઉપયોગ કરી રેલવે ટિકિટોના કાળાબજાર કરી રહ્યો છેક્રાઇમ બ્રાન્ચની ટીમે વાપીના અમૃત નગરમાં રહેતા અબ્દુલ સત્તારને પકડી 22,858ની કિંમતની કુલ 22 ઇ ટિકિટ કબજે કરી હતી. કાળાબજાર માટેનું સોફ્ટવેર અબ્દુલે સલમાન નામના વ્યક્તિ પાસે ખરીદ્યું હતું. વાપીના અહેમદ પટેલને 28 ઇ ટિકિટ તેમજ સુરતમાંથી મેંગો સોફ્ટવેર વડે ટિકિટના કાળાબજાર કરતા બીગ્નેશવર જાનાને પકડી પાડવામાં આવ્યો હતો.
