વડોદરાના ગૌરક્ષક નેહાબેન પટેલ ઉપર અપહરણ, ખંડણી મારામારીની ફરિયાદ

મહાવીર ભાઈ જૈન જીવદયા પ્રેમી કતલખાને લઇ જતી ટ્રકો પકડતા હતા તેની અદાવત રાખી અને મહાવીર ભાઈને નેહા પટેલ અને તેની સાથેના માણસો એવું કહેતા હતા કે તમે ભેંસોની ટ્રકો કેમ પકડો છો મહાવીર ભાઈ ભેંસોની ટ્રકો કતલખાને જતી પકડતા હોય જેથી તેની અદાવત રાખી કુખ્યાત નેહા પટેલ અને તેના માણસોએ ચેકપોસ્ટ ઉપરથી મહાવીર જૈનનું અપહરણ કરી માર મારી રૂપિયા બે લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહાવીર જૈન ભાઈએ લખાવેલી છે.
નેહા પટેલ તેમજ અન્ય બીજા આઠ જણા વિરુદ્ધ જીવદયા પ્રેમી ની ફરિયાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ
બરોડા અને સુરતના નામચીન કહેવાતા ગોરક્ષક નેહા પટેલ પર ફરિયાદ. લૂંટ, જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેમ કહી ફરિયાદીએ બરોડા અને સુરતના નામચીન ઉપર IPC ધારા. 364A, 323, 504, 506, (2)427, 114 ની કલમ હેઠળ ગૌરક્ષક નેહા પટેલ, જય પટેલ ઉર્ફે નાગરાજ વિરુદ્ધ બારડોલી પોલીસ સ્ટેશન નોંધાવી છે. લૂંટ મારી નાખવાની ધમકી આપી ને એમ કહે છે કે અમારા વિસ્તાર માં કેમ ગાડી પકડો છો તેમ કહીને જીવદયાના માણસો મહાવીર ભાઈ હરખચંદ પર હુમલો કર્યા અને તારે બચવું હોય તો બે લાખ રૂપિયા આપ તો જવા દઈએ અને હવે પછી અમારી કોઈ પણ ગાડી પકડવાની નહીં એમ કહી. બરોડા ની નામચીન કહેવાતી નેહા પટેલ એમ કહે છે કે મહાવીર ભાઈ ના હાથ પગ તોડી નાખો હું હાઈકોર્ટ માં તમારા આગોતરા જામીન કરાવી દઈશ. આ વાત ચર્ચા વાયુ વેગ પ્રસરતા ગોં માતા ના ભક્તો માં શોખ ની લાગણી દુભાઈ છે? તમામ આરોપી ફરાર એસઓજી ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને પકડી પાડવા ધમધમાટ શરૂ..
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)
