જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 5 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩,૪,૫ અને ૭ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.
કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ વોર્ડ નં.૩ સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ ગીતામંદિર પાસે હકાભાઇ જાખરાના ઘર થી ભીખુભાઇ નુરાભાઇ મકરાણી ના ઘર સુધી. વોર્ડ નં.૪ જૂના જોષીપરા વિસ્તારમાં જૂના ગામમાં હેઠાણ ફળીયામાં મનુભાઇ રાળીયાભાઇના ઘરથી રતિભાઇ ડાકીના ઘર સુધી. વોર્ડ નં.૫ શશીકુંજ રોડ પર આવેલ મીરાનગર માં નીલ માધવની બાજુમાં રાજદિપ બગ્લોઝ બ્લોક નં. ૧ થી ૭, ઝાંઝરડા રોડ પર આવેલ નવરત્નપાર્ક સોસાયટીમાં ચાવડા ભરતભાઇના ઘર થી નરેન્દ્રભાઇ પુરોહિત ના ઘર સુધી. વોર્ડ નં.૭ બસ સ્ટેન્ડ પાસે આવેલ ગીરીરાજ મેઇન રોડ પર અક્ષરધામ એપાર્ટમેન્ટનો ચોથો માળ કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૬ ઓકટોબર સુધી અમલમાં રહેશે.
કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
