ધાનેરા નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર
ધાનેરા નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઇને આજ રોજ તા.17/02/2020 થી ધાનેરા નગર પાલિકાના તમામ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે. સફાઈ કામદારોની માંગણીઓ છે કે આજદિન સુધી એકપણ સફાઈ કામદાર કાયમી કરવામાં આવેલ નથી જેઓ રોજમદાર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે તેમને કાયમી કરવામાં આવે અને તા.31/12/2019 ના રોજ 11 સફાઈ કામદારો ને 60 વર્ષની ઉંમરના કારણે તેમને વગર નોટિસ છુટ્ટા કરવામાં આવ્યા હતા.
તેમના વારસદારોને નોકરી આપવામાં આવે જેના માટે અગાઉ તા.6/1/2020 ના રોજ હડતાલ ઉપર ઉતર્યા હતા ત્યારે ધાનેરા નગર પાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી અને પ્રમુખ સાહેબ દ્વારા બાહેધરી આપેલી હતી કે તેઓની માંગણીઓ 1 મહિનામાં પૂરી કરવામાં આવશે અને જે 11 સફાઈ કામદારો છુટ્ટા કર્યા છે તેની 25 જગ્યાઓનું મહેકમ 2001 મંજૂર થયેલ છે તેમાં જરૂરી ભરતી પ્રક્રિયા કરીને કાયમી ભરતી કરવામાં આવશે તેમ છતાંય કોઈ અમલીકરણ કે કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી જેથી નાછૂટકે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરેલા છે.