ડાંગ દરબારના લોકમેળા દરમિયાન આહવાના મુખ્ય માર્ગ સહિતના માર્ગો બંધ રહેશે

ડાંગ દરબારના લોકમેળા દરમિયાન આહવાના મુખ્ય માર્ગ સહિતના માર્ગો બંધ રહેશે
Spread the love

આહવા,

વાહન ચાલકો માટે જાહેર કરાયા ડાયવર્ઝન

ડાંગ દરબારના લોકમેળા દરમિયાન ઉમટતા પ્રજાજનોની સલામતી સહિત કોઇ અધટિત બનાવ ન બને તે માટે આહવાના મુખ્ય માર્ગો ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે જારી કરેલા એક જાહેરનામા અનુસાર તા.૦૫/૦૩/ર૦૨૦નાં રોજ સવારના ૭ વાગ્યાથી, તા.૦૮/૦૩/ર૦૨૦નાં રોજ રાત્રીના ૧ર વાગ્યા સુધી (૧) આહવાની પી.ડબ્લ્યુ.ડી. ઓફિસથી આહવા ગ્રામ પંચાયતના કાર્યાલય વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ કરાયો છે. તે સાથે (ર) આહવા પોસ્ટ ઓફિસની સામે આવલા શહિદ સ્મારકથી રંગ ઉપવન તરફનો શ્રી મોરારજી દસાઇ માર્ગ પણ મોટર વાહનો તથા ભારે વાહનો માટે બંધ કરાયો છે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન આ માર્ગો ઉપરથી ઢોરોના આવાગમન ઉપર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે.

સાથે વાહન ચાલકોની સરળતા માટે પી.ડબ્લ્યુ.ડી. ઓફિસ ફૂવારા સર્કલથી આશ્રમ રોડ થઇને, સિવિલ હોસ્પિટલ, ગાંધી કોલોની થઇ હાઇસ્કૂલ રોડ તરફથી સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગથી એસ.ટી.ડેપો જતા માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

આ પ્રતિબંધ આદેશ (૧) પીવાના પાણીની સેવા, ગંદા પાણીના નિકાલની સેવા, તબીબી સેવાઓ, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સેવા જેવી આવશ્યક સેવાઓ પુરી પાડવા જતા અધિકૃત વાહનો, અધિકારી/કર્મચારીઓ તથા (ર) સરકારી ફરજ ઉપર હોય તેવા સરકારી વાહનો તથા તેના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં.

આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ કાર્યવાહી હાથ ધરાશે, જેની સૌને નોંધ લેવા પણ વધુમાં જણાવાયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!