રાજકોટ યશ બેંક સંકટમાં મનપાનાં ૧૬૪ કરોડ સલવાયા…
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યશ બેંક પર નિયંત્રણ લગાવ્યા છે. યશ બેંકની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને આ નિયંત્રણ લગાવાયા છે. જે અંતર્ગત હવે યશ બેંકના ધારકો એક મહિનામાં માત્ર ૫૦ હજાર સુધીના રૂપિયા ઉપાડી શકશે. આ સાથે જ તાત્કાલિક અસરથી RBI એ યશ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને RBI એ ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. ત્યારે હવે રાજકોટ મનપાના નાણાં યશ બેંકમાં ફસાયા છે. જ્યારે વડોદરા મનપાના નાણાં બચી ગયા છે.
વડોદરા કોર્પોરેશને ૪ દિવસ પહેલા જ યશ બેંકમાંથી BOB માં૨૬૭ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. વડોદરાની સ્માર્ટ સીટી પ્રોજેક્ટના નાણાં યશ બેંકમાં ડૂબતા બચી ગયા છે. હમણાં કોર્પોરેશને ૪ દિવસ પહેલા જ યશ બેંકમાંથી નાણાં ટ્રાન્સફર કર્યા હતાં. સ્માર્ટ સીટી પ્રોજેક્ટના ૨૬૭ કરોડ BOB માં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. આ અંગે મિટિંગમાં યશ બેન્કમાંથી નાણાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્માર્ટ સીટી પ્રોજેકટ ડાયરેક્ટરે અને સ્થાઈ સમિતિના અધ્યક્ષ સતીષ પટેલે આ મામલે હાશકારો અનુભવ્યો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)