જામનગરમાં યુવાન ઉપર જૂનું મનદુઃખ રાખી ત્રણ શખ્સનો હુમલો
જામનગરમાં યુવાન ઉપર જૂનુ મનદુઃખ રાખી ત્રણ શખ્સો હુમલો કરી ઈજા પહોંચાડતા જી.જી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડી પોલીસે ફરિયાદના આધારે તપાસ આરંભી છે. મળતી વિગત મુજબ જામનગરના કલ્યાણ ચોક ખાતે કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ પર આવેલ રાજ સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા સદામ વલીભાઈ તાયાણી નામના ૨૨ વર્ષના યુવાન ઉપર એયાઝ ખફી, શબ્બીર માજોઠી અને શીવરાજ દરબાર નામના ત્રણેય શખ્સો ગાળો કાઢી પેટના ભાગે છરી મારી તથા મુંઢ ઈજાઓ પહોંચાડી લોખંડના પાઈપથી લોહી કાઢી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય સામે સદામએ સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં સદામના બહેને એયાઝના ભાઈ સામે અગાઉ ફરિયાદ કરેલ જે બાબતે ખાર રાખી આ ડખ્ખો થયાનું જાહેર થયું છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)