શહેરમાં આવેલ મજૂર મૂંઝવણમાં ન ઘરના કે ન ઘાટના જેવી
અત્યાર ની પરિસ્થિતિ જોતા વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે શહેર માં આવેલ મજૂર ને વિસ્થાપિત કરવા અથવા એમના ઘરે ચેકિંગ કરી સહી સલામત પહોંચાડવા સરકારે વિચારવું જોઇએ મજુરો ની રોડ પર અવર જવર વધી રહી છે પોતાના માદરે વતન જવા માટે આઈસર ગાડીઓ ભરી ભરી ને જઈ રહ્યાં છે અને રસ્તા બ્લોક હોવાને કારણે પોલીસ દ્વારા ચેકિંગ કરી ઉતારી દેવામાં આવતાં મજૂરો ની પરિસ્થિતિ દયનીય બની છે આવો બનાવ ધનસુરા તાલુકાના નવલપુર જોવા મળ્યો શહેર માં કામ કરવા ગયેલ મજૂરો ની રહેવાની વ્યવસ્થા મજૂરી કામ માટે લઈ ગયેલ વ્યક્તિઓએ કરવી જોઇએ આ બનાવ જોતા સરકારે મજુરો માટે કઈક વહેલી તકે વીચારવા જેવું છે અત્યારે મજુરોની હાલત ન ઘરના કે ન ઘાટના જેવી થઇ છે.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)