ભાવનગરમાં ૩૦૦ કેદીઓની ભૂખ હડતાળઃ પેરોલ આપવાની માગ
ભાવનગર,
ગુજરાતમાં પણ લોકડાઉનની સ્થિત વચ્ચે કોરોનાનો કેર વધી રહ્યો છે. આજે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. અને ત્રણ નવા પોઝીટીવ કેસ દાખલ થતા કુલ ૫૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક પાંચ અને કેસ ૫૮ સુધી પહોંચ્યા છે.
આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસ એ સંક્રમણથી ફેલાતો રોગ છે. જે એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ત્યારે આ વાતની ગંભીરતા જાણી ભાવનગર જિલ્લા જેલમાં ૩૦૦ જેટલા કેદીઓએ અન્નનો ગઈકાલથી ત્યાગ કર્યો હતો.હાલની સ્થિતિને ધ્યાને લઇને પેરોલ પર છોડવાની માંગ કરી હતી.
જેલ પ્રશાસને સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે ઉપર સુધી રજૂઆત કરી હતી.જા કે જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ છતાં ૩૦૦થી વધારે કેદીઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા.