હોમક્વોરેન્ટાઇન કરાયેલા લોકોનો સમયપૂર્ણ થતાં તેમના ઘર બહાર હવે ગ્રીન સ્ટીકર લગાવાશે
અમદાવાદ,
અમદાવાદમાં કોરોનાવાયરસ કારણે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોનો ૧૪ દિવસનો સમયગાળો પૂર્ણ થતા તંત્ર ફરી સક્રિય થયુ છે. અને તેમના ઘરે હવે ગ્રીન સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી છે. વિદેશથી પરત ફર્યા હોય તેવા અને હોમ ક્વોરેન્ટાઈન કર્યા હોય તેવા લોકોના ઘરે અગાઉ રેડ સ્ટીકર લગાવેલા હતા.અને તેઓનો ૧૪ દિવસનો સમય પૂર્ણ થતા તેમના મકાને હવે ગ્રીન સ્ટીકર લગાવવામાં આવ્યા.
જેથી કોરેન્ટાઈન કરવામાં આવ્યા હોય તે પરિવારની આસપાસના લોકો ડર વિના રહી શકે. કોર્પોરેશન દ્વારા ૩૫૦૭ લોકોને હોમ કોરેન્ટાઈ કરવામાં આવ્યા છે જેમાં ૧૯૯૪ લોકોનો હોમ કોરેન્ટાઈનનો પિરિયડ પૂર્ણ થયો છે.