જરૂરીયાતમંદને સતત ૨ ટાઇમનુ જમણવાર આપતી સંસ્થા : જનસાધના ટ્રસ્ટ
જનસાધના ટ્રસ્ટ એ સંસ્થા કે જેમના આશ્રમ ( આશાશ્રી અશક્તાશ્રમ ) માં નિરાધાર,બીમાર,વીક્લાંગ લોકો ને નિ:શુલ્ક સેવા આપે છે, અત્યાર નો જે કોરોના મહામારી નો સમયગાળો છે ત્યારે આ સંસ્થા ના ટ્રસ્ટી આભાબેન અને કુસુમબેન પોતાની નૈતીક જવાબદારી સમજી ને અમદાવાદ માં જરુરિયાતમંદ લોકો ની સેવા કરવાનુ નક્કી કરી ને ૨૪ તારીખ થી રોજના ૧૦૦૦ થી વધુ લોકો ને બે ટાઇમ નુ જમવાનુ અને જરૂરીયાત મંદ ને અનાજ ની કીટ નુ વીતરણ પણ કરી રહ્યા છે, અનાજ ની કીટ માં ચોખા 5 કીલો. , લોટ 5 કીલો. , દાળ 2 કીલો , તેલ 1 લી. , મીઠુ 1 કીલો , મરચુ 100 ગ્રામ , હળદર 100 ગ્રામ , શાકભાજી 2 કીલો. જેનો એક કીટ દિઠ ખર્ચ ૭૦૦ રૂ. છે. આભાબેન અને કુસુમબેન નુ માનવુ છે કે અન્ન થી મોટુ કોઇજ દાન નથી.
માનવસેવા એજ પ્રભુ સેવા અમારો જે આશ્રમ છે ત્યા પણ અમે વીક્લાંગ અને બિમાર વડીલોને વધારે પ્રાધન્ય આપી એ છીએ ગુજરાતી માં કહેવત છે ” સારા ના સૌ સગા ” પણ અમારો ધ્યેય એક જ છે બધા જ વડીલોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવી. અમારા આશ્રમમાં હાલ 36 વડીલો જે નિરાધાર, બીમાર, વીકલાંગ છે તેવા લોકો ને સેવા અપાય રહિ છે. અમારી આ સેવામાં સંસ્થાના સંચાલક આશિષભાઇ ઘેસાણીનો અમારા સેવકો અને દાતાશ્રીનો જે સહ્યોગ આપે છે એમના અમે આભારી છીએ જો આપ પણ કોઇ જરૂરીયાતમંદની સેવા કરવા માંગતા હોય તો અમારા આ નંબર પર સંર્પક કરો 95747 25737 અથવા ગુગલ પે કે પેટીએમ દ્વારા સહયોગ આપી સકો છો.