શું રાશનકાર્ડ ધારકોને આ રીતે રાશન ન પહોચાડી શકાય..?

શું રાશનકાર્ડ ધારકોને આ રીતે રાશન ન પહોચાડી શકાય..?
Spread the love

શું રાશન કાર્ડ ધારકો ને આ રીતે રાશન ન પહોચાડી શકાય ? વતૅમાન પરિસ્થિતિમાં જે રીતે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે ઉંચું વિચારી શકે છે તે રીતે બીજા નેતા ઓકે અધિકારીઓ ન વિચારી શકે આ પરિસ્થિતિમાં લોકો ને કઈ રીતે ફાયદો થાય તે વિચારવાની જવાબદારી ખાલી વડા પ્રધાન ની જ છે? શું આપણે ન કરી શકીએ અત્યારે રાશનની દુકાનોમાં લાંબી લાઈનો જોવા મળે છે લોકો હાલાકી ભોગવી રહ્યા છે તે જોતાં આવું ન થઈ શકે કે સરપંચ દ્વારા દરેક વોર્ડના સભ્ય ને ભેગા કરી જે તે વોડૅમાં ચાર યુવાનોને સાથ સહકાર લઇ દરેક વોડૅના સભ્ય પોતાની નૈતિક જવાબદારી સમજી ઘરે ઘરે કરિયાણું ન પહોચાડી શકે ? આટલું તો કરી જ શકે કેમ કે આ બધી પ્રકિયા ચુંટણી પહેલા થતી જ હોય છે તો અત્યારે કેમ નહીં। જયારે આ જ પ્રજાએ તમને સાથ સહકાર આપ્યો હોય ત્યારે આવા કપરા સમયમાં સહકાર આપવો તમારી નૈતિક ફરજ નથી ?

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

IMG_20200402_121111.JPG

Manoj Raval

Manoj

Right Click Disabled!