મોદીજીની અપીલને પુ.મોરારીબાપુનું સમર્થન
આજે નરેન્દ્ર મોદીજીએ રાષ્ટ્રજોગ અપીલ કરીને કહ્યું કે આગામી ૫ માર્ચના રોજ બધા પોતપોતાના ઘર, અગાસી, બાલ્કની, બારણાં પાસે ઊભા રહી દીપ જ્યોતિ કરીએ અને કોરોના સામેની મહામારીમાં આપણે વિજય માટે આસ્વસ્થ થઈએ. આ અપીલને પૂ. મોરારીબાપુએ સમર્થન કરીને પ્રધાનમંત્રીના દીપ જ્યોતિ અભિગમને આવકારી રાષ્ટ્રવાસીઓને આ મહાજંગ ની લડાઈમાં પોતે અને રાષ્ટ્ર આસ્વસ્થ થાય તે માટે દીપ જ્યોતિ કરવાં સૌને હાર્દિક અનુરોધ કરી સમર્થન જાહેર કર્યું. યાદ રહે કે પ્રધાન મંત્રીએ ધર બહાર નીકળવા સંપૂર્ણ મનાઇ ફરમાવી સોશિઅલ ડીસ્ટન્સ જાળવી રાખવા પણ અનુરોધ કર્યો હતો.