ઈડર પોલીસે લોકડાઉન દરમ્યાન ખોટા મેસેજ ફેલાવનાર બે ઈસમો વિરુદ્ધ ગુન્હો
- સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ દ્વારા lockdown દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા જાહેર શાંતિ ડહોળવા માટે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનાર બે ઈસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરતી ઇડર પોલીસ.
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર ચૈતન્ય માંડલીક સાહેબ ની સુચના દ્વારા જિલ્લામાં કોરોનાવાયરસ સબંધી સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ તેમજ ખોટા મેસેજ વાયરલ કરવા વાળા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એમ. ચૌહાણ સાહેબ ઇડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એલ. વાઘેલા તથા સ્ટાફના માણસોએ ઈડર સાબલવાડ ગામના યતીન કુમાર ઉર્ફે યોગેશકુમાર બાબુલાલ રાવલ પોતાની ફેસબુક આઈડી પર આપકે ઈલાકે મેં કોઈ મુસલમાન કોઈભી સામાન બેચને આયે તો યાદ રહે નહીં ખરીદે વો જમાત કા હો સકતા હૈ કોણ કોણ હે મેરે સાથ જેવા ખોટા મેસેજ ને પોસ્ટ વાઈરલ કરેલ તથા ઇમરાન શાહબુદ્દીન , હાજી રસુલભાઇ લુહાર રહેવાસી ઈડર જીલ્લો સાબરકાંઠા પોતાના મોબાઇલ નંબર ૭૫૬૭૬૩૨૮૩૭ whatsapp સ્ટેટસમાં હેપ્પી બર્થ ડે કોરોના તુમ જીઓ દસ હજાર સાલ એવા મેસેજ કરી સુલેહ શાંતિ ડહોળવા બંને ઈસમોએ સોશિયલ મીડિયામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તેઓ ગુન્હો કરેલ છે બંને વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશન અલગ-અલગ ગુન્હો દાખલ કરી બંને ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)