છૂટા થયેલ MPHWની કોરોનાની મહામારીમાં સેવા કરવાની તત્પરતા સાથે સરકારમાં રજુવાત
મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લા પંચાયતોમાં આરોગ્ય વિભાગમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા ભરવામાં આવી હતી બધા જ કર્મચારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ નિમણૂક આપવામાં આવી હતી અને જે તે વખતે પ્રમાણપત્રોની ખરાઇ પણ કરી હતી ત્યારબાદ લગભગ ૧૭ થી ૧૮ મહિના પહેલા નામદાર હાઇકોર્ટના ઓર્ડરનું ખોટું અર્થઘટન કરી અમુક જિલ્લા પંચાયતોમાં મલ્ટીપર્પજ હેલ્થ વર્કરને છૂટા કરી દેવામાં આવ્યા હતા જેમાં અમુક જિલ્લામાં કર્મચારીને પાંચ વર્ષ અને સાત વર્ષ થઈ ગયેલ હતા જેનું એક જ કારણ હતું કે યુનિવર્સિટી યુજીસી માન્ય નથી પરંતુ યુનિવર્સિટી UGC માન્યતા મળેલી છે અને કોર્ટમાં સાબિત પણ થઈ છે.
વધુમાં નવ જિલ્લા માંથી છુટા કરેલ કર્મચારી સિવાય રાજ્યમાં દરેક જિલ્લામાં એજ યુનિવર્સિટી માં અભ્યાસ કરેલા કર્મચારી નોકરી માં ચાલુ છે અને કાયમી ઓર્ડર પણ કરેલ છે અને અમુક જિલ્લા માંથી છુટા કરેલ છે એ જ જિલ્લામાં પણ તેજ યુનિવર્સિટી વાળા નોકરીમાં ચાલુ જ છે આ કઈ રીતે શક્ય છે. હાલમાં 9 જિલ્લામાંથી ૧૭૫ જેટલા હેલ્થ વર્કરો નોકરી માંથી બહાર છે અને આ લોકો હાલ કોર્ટમાં ગયેલ છે જે જિલ્લા પંચાયતોમા કેસ પુરો થયે એ લોકોને ફરીથી નોકરીમાં લીધા છે તેવી રીતે આ કર્મચારીઓ નો કેસ પેન્ડિંગ છે અને નામદાર કોર્ટમાં કેશ નું ભારણ વધુ હોવાથી સંજોગો વસાત નંબર આવતો નથી.
હાલમાં જ પશુધન નિરીક્ષક ની ભરતી થઈ એમાં સરકારે આવી યુનિવર્સિટી વાળાને નોકરીમાં લીધા છે અને રાજ્યની વિવિધ કોર્પોરેશનનો મા અને સિવિલ હોસ્પિટલોમાં જે યુનિવર્સિટી મા અભ્યાસ કર્યો છે એ યુનિવર્સિટી વાળા પણ હાલ નોકરીમાં ચાલુ છે વધુમાં રાજ્યમાં ચાલી રહેલા કોરોના જેવી મહામારી થી નાગરિકોને નુકસાન થઈ રહ્યું છે માટે આ આરોગ્ય કર્મચારી આવું જોઈ દુઃખની લાગણી અનુભવ કરી રહ્યા છે અને આ લોકો જે છુટા થયેલ છે એમાંથી અમુકની પાંચ વર્ષનો અને અમુકને ત્રણ વર્ષનો અમુકને સાત વર્ષનો અનુભવ છે તો 175 જણા હાલ સેવા કરવા તત્પર છે જો તેમને પુનઃ સ્થાપિત કરવામાં આવે તો સરકાર ને ૧૭૫ જેટલા અનુભવી આરોગ્ય સૈનિકો મળી જાય એમ છે.
તો સરકારને આવા કર્મચારીઓ ની ભલામણ છે કે જલ્દી પાછા સેવામાં લઈ લે આ માટે આ કર્મચારીઓ ની ફાઈલ પણ સરકારમાં ચાલે છે જે ફાઇલમાં બધા જ હકારાત્મક વલણો છે. જેમાં યુનિવર્સિટી ની માન્યતા ugc ના પત્રો કોર્સ ચલાવવાની યુનિવર્સિટી ની માન્યતા ના પત્રો ગુજરાત સરકારમાં નોકરી માં લેવાની મંજૂરી ના પત્રો અને નામદાર હાઈકોર્ટના ઓર્ડર બધું જ સરકારશ્રી ના અધિકારીઓ ને આપેલું છે
અને સંકટના સમયમાં હાલ આરોગ્ય વિભાગ ને આવા અનુભવી કર્મચારીઓ ની સેવા મળી રહે તે માટે તેમને ફરીથી પુનઃસ્થાપિત કરે એ માટે સરકારશ્રીને ભલામણ છે અને જ્યારે નામદાર હાઇકોર્ટ નો જે નિર્ણય આવે તે એમને શિરોમાન્ય છે. આવી રાજુવાત આવા કર્મચારીઓ તરફથી કરવામાં આવેલ છે.
રીપોર્ટ। મનોજ રાવલ (ધનસુરા)