રાજકોટ : રાઇઝિંગ ઇન્ડિયા પરિવાર દ્વારા સેનેટાઈઝર ગેટ બનાવી આપ્યો
સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્ડિયા પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સેનેટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી કોરોના વિભાગમાં સતત દિવસ-રાત સેવા આપતા ડોક્ટરો. નર્સિંગ સ્ટાફ. સફાઈ કર્મચારી તેમજ સિક્યોરિટી અને ત્યાં અવર જવર કરતા કોઈને કોઈપણ રીતે કોરોના ન ફેલાય તે માટે સેનીટાઈઝર ગેટ વિનામૂલ્યે આપેલ. આ સેનીટાઈઝર ગેટ માં કોઈપણ વ્યક્તિ પેડલ દબાવી અંદર આવી ૬ સેકંડ રહી અંદર ફરી પોતાના આખા શરીરમાં ક્યાંય પણ વાયરસના કોઈ અંશ હોય તો તેનો નાશ કરી શકે. આ ગેટ ઓટોમેટિક છે જેથી સેનિટાઇઝિંગ દવાનો બગાડ થતો નથી. અને ૧ લિટર સેનેટાઈઝર થી ૩૫ લોકો સેનેટાઇઝ થાય છે.
આ ગેટ ઓછા ખર્ચમાં ઘણા લોકોની જાનહાની અટકાવી શકે છે. રાઇઝીંગ ઇન્ડિયા પરિવારના શ્રી.હર્ષિલભાઈ શાહ. રાજભાઈ શાહ. રાજેનભાઈ ચુડાસમા અને અન્ય મિત્રો સાથે આ સેનીટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી સિવિલમાં આપવાનું નક્કી કરેલ. આ કામમાં સિવિલના સિવિલ સર્જનશ્રી ડો. મનીષ મહેતા, ડો.કમલભાઈ ગોસ્વામી, ચૌહાણભાઇ, સંજયભાઈ ગોસ્વામી અને સિવિલના સ્ટાફનો ખૂબ જ સાથ સહકાર મળેલ છે. આ સમયે સંસ્થાને સતત પ્રેરણા આપતા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ડી. કે. સખીયા હાજર રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)