ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા જાહેર નોટીસ ગામમાં લગાવવામાં આવી
ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના તારીખ-૦૭-૦૪-૨૦૨૦ના જાહેરનામાને આધારે બે પૈડાવાળા વાહનો પર એકથી વધુ વ્યક્તિ જઈ શકશે નહી. તેમજ ચાર પૈડાવાળા વાહનોમાં ડ્રાઈવર સહિત કુલ-3 વ્યક્તિઓથી વધુ વ્યક્તિઓ બેસી શકશે નહી. આ ઉપરાંત કરિયાણાની દુકાનોના વહેપારીઓ સવારે-૭ થી ૧૨ વાગ્યાના સમયગાળા સુધીમાં દુકાન ખુલ્લી રાખી શકશે તેમજ હોમ ડિલીવરી સવારના ૭ થી ૧૨ વાગ્યા સુધીમાં કરી શકશે.
શાકભાજી ફળફળાદીના વેપારીઓ ૭ થી ૧૦ વાગ્યા સુધી વેચાણ કરી શકશે અને હોમ ડિલીવરી ૭ થી૧૨ વાગ્યા સુધી કરી શકશે.પશુદાણ તથા જંતુનાશક દવાની દુકાનો સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે જેને લઈને ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા ગામમાં જાણકારી આપવામાં આવી હતી તેમજ દુકાનો અને ગામમાં આ બાબત ના પોસ્ટરો ગ્રામ પંચાયત ધ્વારા લગાવવામાં આવ્યા હતા.આ સમય દરમિયાન ખરીદી કરી લેવી તેમજ કામ સિવાય બહાર ન નીકળવું જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)