મામલતદાર ડભોઇ દ્વારા મંડાલા ગામે 86 શ્રમિકોને અનાજ કરિયાણા કીટનું વિતરણ
વડોદરા,
જિલ્લા કલેકટરશ્રી શાલિની અગ્રવાલની સૂચનાથી કલેકટર કચેરીના અધિકારીઓની ફુડ કમિટી કાર્યરત કરવામાં આવી છે અને કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. લોકડાઉનની પરિસ્થિતિમાં મામલતદાર ડભોઇ દ્વારા તાલુકાના મંડા લા તથા નવીનગરી ગામોમાં જરૂરીયાતમંદોને 86 જેટલી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેશન કીટ મળતા શ્રમજીવીઓએ રાહતની લાગણી અનુભવી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા શ્રમજીવીઓ, દિવ્યાંગો અને જરૂરિયાતમંદોની વિશેષ કાળજી આ વ્યવસ્થા હેઠળ લેવામાં આવી રહી છે.