જામનગરમાં જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારવા તંત્રને ફૂડ પેકેટ અર્પણ કરતું લેડીઝ ચેમ્બર-સંસ્કૃતિ ફાઉન્ડેશન
કોરોના વાયરસે સર્જેલી મહાકટોકટીની સ્થિતિમાં લોકડાઉનથી સામાન્ય માણસની જીવન સાયકલ ખોરવાઇ ગઇ છે. લોકડાઉનને પગલે ધંધા-રોજગાર બંધ થતાં શ્રમિક અને ગરીબ વર્ગોની તાવડી ટેકો લઇ ગઇ છે. તયારે આવા કપરા કાળમાં માનવ, સેવાના ભાવ સાથે જામનગર લેડિઝ ચેમ્બર ઓફ કોમર્સ અને સંસ્કૃતિ ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી જરૂરિયાતમંદો માટે ૫૦૦ જેટલા ફૂડપેકેટ બનાવી જામનગર મનપાના કમિશનર સતિષ પટેલને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત કોરોનાની લડતમાં નિષ્ઠાથી ફરજ બજાવતા અધિકારીઓને હિન્ડ સેનીટાઇઝર આપવામાં આવ્યું હતું. આ તકે કમિશનર સતિષ પટેલ, ડે.કમિશનર અવિનાશ વાસ્તાની, લેડીઝ ચેમ્બરના પ્રમુખ સહારા મકવાણા, સંસ્કૃત ફાઉન્ડેશનના ચેરમેન શેતલ શેઠ, લેડિઝ ચેમ્બરના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઉર્મીબેન મહેતા, સેક્રેટરી નિશા ઐયર ફાયર ચીફ કિ.કે. બિશ્નોઇ, ડો.પંચાલ સહિતના હાજર રહ્યાં હતાં.
– રોહિત આર. મેરાણી (જામનગર)