જૂનાગઢ જિલ્લામાં ૨૭મી એપ્રીલ સુધી સભા-સરઘસબંધીનો હુકમ જારી
જૂનાગઢ જિલ્લામાં આગામી દિવસોમાં પરશુરામ જયંતી, આંબેડકર જયતી, ના તહેવારો ઉપરાંત સાંપ્રત સમયની ઘટનાઓને ધ્યાને લઇને નોવેલ કોરોનાં મહામારીની બીમારીનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા તથા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સુલેહ અને શાંતિ જળવાઇ રહે તે હેતુ જૂનાગઢ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. આ સંદર્ભે અધીક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.કે.બારીઆએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી તા. ૧૪ એપ્રિલથી ૨૭ એપ્રિલ ૨૦૨૦ બન્ને દિવસો સહિતની મુદત માટે કોઇપણ સભા સરઘસ માટે મનાઇ હુકમ ફરમાવેલ છે.
આ મનાઇ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યક્તિઓ, કોઇ લગ્નનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિઓને, સક્ષમ અધીકારીશ્રીની કાયદેસરની પરવાનગી લીધી હોય તેને લાગુ પડશે નહીં, આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની ૧૯૫૧ની કલમ ૧૩૫(૩) મુજબ દંડ/શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ