કોરોના સામેની લડાઈ – ૩ હજાર શિક્ષકો બીમાર લોકોને શોધવામાં લાગ્યા
અમદાવાદ,
કોરોના વાયરસના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના ૩ હજાર શિક્ષકોને શહેરી વિસ્તારોમાં પેમ્ફ્લેટ વિતરણ અને બીમાર વ્યÂક્તનો સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ આ સર્વેની કામગીરીમાં લોકો સહકાર નહિ આપતા હોવાની શિક્ષકોની ફરિયાદ સામે આવી છે.
કોરોના મહામારીનું સંકટ ધીરે ધીરે વધી રÌšં છે અને અમદાવાદનાં કોટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા કેટલાક વિસ્તારને ક્લસ્ટર ક્વારન્ટાઇન કર્યા છે. તો કેટલાક વિસ્તારોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ કેસ શોધવા તંત્રની પ્રાયોરિટી છે તેવામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિ શાળાઓના શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.
શહેરની ૪૦૦ જેટલી મ્યુનિ, શાળાઓના ૩ હજાર જેટલા શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે. જેમાં શિક્ષકોઓને પેમ્ફ્લેટ વિતરણ કરવા તેમજ બીમાર વ્યÂક્તઓનું ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી છે. આ ફોર્મમાં ઘરના કોઈ સભ્યને શરદી, ખાંસી કે તાવ છે. શ્વાસ લેવામાં તકલીફનાં લક્ષણો છે. જા ફોર્મમાં આ તમામ વિગતો માં હા હોય તો તે ઘરનાં સભ્યોનાં નામ સરનામા અને કેટલા સમયથી તકલીફ છે તે તમામ વિગતો એકત્રિત કરવની સૂચના અપાઈ છે. પરંતુ આ કામગીરીમાં શિક્ષકોને લોકો તરફથી સહકાર મળી રહ્યો નથી.