ધાનેરામાં 144 નો ભંગ કરનાર સામે પાલિકા તંત્રે લાલ આંખ કરી
ધાનેરાના શહેરી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં લોકોના ટોળા જોવા મળી રહ્યા છે જેને લઇ આજે ધાનેરા નગરપાલિકા તંત્ર દ્વારા આવા લોકો તેમજ વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને જે દુકાન પર લોકોના ટોળા હોય તે દુકાનદાર સામે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા વહેલી સવારથી જ તમામ દુકાનદારોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે જગ્યા પર લોકોનું ટોળું હોય તે જગ્યા પરથી લોકોના ટોળા પણ દૂર કર્યા હતા.