ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે લોકડાઉન દરમિયાન મતદાતાઓને શુ મદદ કરી ? મતદાતાઓ માંગે છે જવાબ
- ચૂંટણી પહેલા મતદાતાઓને ઘરે બોલાવી બોલાવીને જમાડયા હતા લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં મતદાતાઓને જમ્યા કે નહી..?
કોરોના નામની વિશ્વ મહામારી થી ધાનેરા વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે 55 થી57દિવસ જેટલા સમય લોકો ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો કરી પોતાનું જીવન ગુજાર્યું હતુ ત્યારે ઘણી બધી સેવાભાવી સંસ્થા અને સેવાભાવી લોકો કપરા સમયમાં લોકોને મદદરૂપ બન્યા હતા અને લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી ત્યારે પણ મોટો સવાલ એ ઉભો થાય છે કે જે લોકોએ ખોબલે ખોબલે મત આપી ધાનેરા તાલુકાના ધાખા ગામના નથાભાઇ પટેલને ધારાસભ્યો બનાવ્યા તે ધારાસભ્ય આવા કપરા સમયમાં લોકોને શું મદદ કરી…?
કપરા સમયમાં લોકોને દિલાસો આપ્યો તેવા અનેક સવાલો ધાનેરામાં થી ઉઠી રહ્યા છે તો બીજી તરફ ધાનેરામાં ચોરે ને ચોટે એ પણ સાંભળવા મળી રહ્યું છે કે નથાભાઇ પટેલ ને જ્યારે ચૂંટણી લડવી હતી ત્યારે લોકોને પોતાના ઘરે બોલાવી બોલાવીને જમાડતા હતા પરંતુ જ્યારે કપરા સમયમાં લોકોને જમવાની જરૂર પડી ત્યારે જમાંડ્યા કે નહીં।….? આવા અનેક સવાલો ધાનેરાના લોકો કરી રહ્યા છે.