આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનું સેવન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે
- કોરોનાવાયરસ સાથે જીવવા- શીખવા અને શરીરને સ્વસ્થ રાખવા સિવાય કોઈ છૂટકો નથી
- જિલ્લાનું આરોગ્ય તંત્ર અને આરોગ્ય કર્મીઓ જિલ્લામાં રોજેરોજ આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરી રહ્યા છે
લુણાવાડા,
કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં જિલ્લાના નાગરિકોને કોરોનાવાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને નાગરિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનું સેવન રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેની સમજ આપવા માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા – તાલુકાના આરોગ્યતંત્રના કર્મયોગીઓ, ફિમેલ હેલ્થ વર્કર, આશાવર્કર બહેનોની સાથે સરપંચશ્રીઓ, પ્રાથમિક શિક્ષકો અને સ્વયંસેવકો સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બનીને પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
તદ્દનુસાર આ આખીયે ટીમો દ્વારા જિલ્લા કલેકટર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કન્ટેન્ટમેન્ટ ઝોન હોય કે બફર ઝોન હોય કે તે સિવાયનો કોઈ પણ વિસ્તાર હોય આરોગ્ય કર્મીઓની ટીમ જે તે ગામોમાં રોજેરોજ ડોર ટુ ડોર સર્વેની કામગીરી ઉપરાંત નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોનાવાયરસ સામે સુરક્ષિત કરવા માટે ગામની મુલાકાતે પહોંચી જાય છે.
સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા, સંતરામપુર અર્બન વોર્ડ નંબર ત્રણમાં તથા ઉખરેલીના ગરાડીયા વિસ્તારના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં, તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરસણ ખાતે, કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસ્વા ઉત્તર દ્વારા સરસ્વા ઉત્તર ગામે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મુનપુરની આરોગ્યની ચાર ટીમો દ્વારા કડાણા ખાતે, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં દર્દીના ઘરની મુલાકાત લેવાની સાથે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સહિત આયુર્વેદિક ઉકાળા, સમસમ વટી, આર્સેનિક આલ્બમ, વિટામિન સીની ગોળીઓનું વિતરણ કરી આ વિતરણમાં નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટેની કાર્યવાહી કરી હતી.
ચુથાના મુવાડા ખાતે મ.પ.હે.લ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયાને અટકાવવા માટે એનટી લારલવની કામગીરી કરવા ઉપરાંત મનરેગા દ્વારા ચાલતા કામ ઉપર કામ કરી રહેલા શ્રમિકોનું સ્ક્રીનિંગ કરી મેડિકલ કીટ આપવામાં આવી હતી.