સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલે વડાલી તાલુકાના કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલે વડાલી તાલુકાના કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી
Spread the love
  • કન્ટેઇનમેન્ટ ઝોનના લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા તેમજ ટોલ ફ્રી ૧૯૨૧ પર આરોગ્ય વિષયક માહિતી મેળવવા અનુરોધ કર્યો
  • જિલ્લા કલેક્ટરશ્રીએ વડાલી તાલુકાના મનરેગા હેઠળ કરવામાં આવી રહેલા કામોનુ નિરિક્ષણ કર્યું
  • મહોર ચેક-પોસ્ટની મુલાકાત લીધી

હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલે વડાલી તાલુકાના થુરાવાસ, બાબસર અને કંજેલી કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકત લીધી હતી. તેમજ સુજલામ સુફલામ જલ અભિયાન અંતર્ગત થઈ રહેલા મનરેગાના કામોનુ નિરિક્ષણ કર્યું હતું. મહોર ચેક પોસ્ટની મુલાકત લઈ કામગીરીનુ નિરિક્ષણ કર્યું હતું.

વડાલી તાલુકાના થુરાવાસ, બાબસર અને કંજેલી ગામોમાં કોરોનાના કેસ સામે આવતા આ ગામ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. આ વિસ્તારોની જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલે મુલાકાત કરી હતી તેમજ નાગરીકોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી તેમજ આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગના હાઉસ ટુ હાઉસ સરવેમાં સહકાર આપવા અપીલ કરી હતી. તેમજ આ વિસ્તારોમાં બિન જરૂરી અવર-જવર ના કરવા લોકોને જણાવ્યું હતું. કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોરોના સંક્ર્મણના ફેલાવો રોકવા કરવામાં આવતી પ્રવૃતિઓ,ઉકાળા વિતરણ તેમજ મેડિકલ સર્વે ટીમની કામગીરીનો રીવ્યુ કર્યો હતો.તેમજ આ કન્ટેઇનમેન્ટ ઝોનના અવર-જવર રજીસ્ટરને ચેક કર્યું હતું.

વધુમાં જિલ્લા સમાહર્તા દ્રારા કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા તેમજ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ દિન-ચર્યા અપનાવવા અનુરોધ કર્યો હતો.સાથે જે લોકો સ્માર્ટ ફોન નથી વાપરતા તે લોકોએ ટોલ ફ્રી ૧૯૨૧ પર મીસ કોલ આરોગ્ય વિષયક માહિતી મેળવવા માર્ગદર્શન આપ્યું હતું.
આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી સી.જે. પટેલે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોકડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશ્યિલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.

સુજલામ સુફલામ જલ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત સમલેશ્વર તળાવને અને ભજપુર ખાતે ચેકડેમ ઉંડુ કરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં સુજલામ સુફલામ જલ અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલ સમલેશ્વર અને ભજપુર ગામે ચેકડેમને ઉંડુ કરવાના કામોનુ નિરિક્ષણ જિલ્લા સમાહર્તા કરવામાં આવ્યું હતું. આ સાથે કામના સ્થળે શ્રમિકોને આપવામાં આવતી સુવિધાઓ તેમજ સોશ્યિલ ડિસ્ટ્રન્સિંગનું ધ્યાન આપવા ખાસ સુચન કરવામાં આવ્યું હતું.

આ સાથે જિલ્લા સમાહર્તા દ્રારા સાબરકાંઠા- મહેસાણા આંતર જિલ્લા સરહદ મહોર ચેક પોસ્ટની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં બહારથી આવતા લોકોની આરોગ્ય ટીમ દ્રારા કરવામાં આવતી ચકાસણી અને વહિવટી ટીમ દ્રારા ગુગલ શીટ્માં કરવામાં આવતી એન્ટ્રીની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!