ધનસુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું
કોરોનાની મહામારીમાં સમગ્ર દેશમાં લોકડાઉન ને લીધે રોજ બરોજ ની કમાણી અને કરેલ બચત હવે લોકો પાસે રહેલ નથી તેવી સ્થિતિમાં સરકાર સમક્ષ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફતેસિંહ તેમજ તાલુકા ના હોદેદારો દ્વારા ધનસુરા તાલુકાના મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું. જેમાં પ્રજા લક્ષી માંગો હતી, જેમ કે માચૅ 2020 થી જૂન 2020 સુધી વીજળી બીલ માફ કરવા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પાણી વેરો મીલકત. વેરો માફ કરવા તેમજ ખાનગી શાળાઓ માં અભ્યાસ કરતા બાળકો ની પ્રથમ સત્રની ફી માફી કરવામાં આવે તેવી કોંગ્રેસ સમિતિ ની માંગણી.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)