કોરાના જંગમાં આયુર્વેદિક તથા હોમીયોપેથિક ચિકિત્સા પધ્ધ્તિ કારગત
- સ્વાસ્થ્યના રક્ષણ માટે આયુર્વેદ માત્ર ચિકિત્સાજશાષા નથી પરંતુ જીવન જીવવાની કલા દર્શાવતું વિજ્ઞાન છે.
- જિલ્લામાં ૭ લાખથી વધુ વ્યોકિતઓને અમૃતપેય ઉકાળો અને હોમીયોપેથી દવાનું વિતરણ
વલસાડ,
આયુર્વેદનું મુખ્યજ પ્રયોજન છે, ‘‘સ્વ સ્થ સ્ય સ્વારસ્ય્ા રક્ષણમ્ આતુરસ્યો વિકાર પ્રશમન ચ” અર્થાત પ્રથમ સ્વયસ્થટ વ્ય કિતના સ્વા સ્ય્હો નું રક્ષણ કરવું અને જો રોગ થાય તો રોગને પણ દુર કરવો. આમ આયુર્વેદ માત્ર ચિકિત્સા્શાષા નથી પરંતુ જીવન જીવવાની કલા દર્શાવતું વિજ્ઞાન છે. આયુર્વેદમાં રોગોના ઉપચારની સાથે સદવૃત્ત અને સ્વિસ્થસવૃત્તના વર્ણન દ્વારા સ્વશસ્થઞ જીવનશૈલી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યોી છે.
કોવિડ-૧૯ એ આખી દુનિયાને બાનમાં લીધું છે અને આરોગ્યસક્ષેત્રે અતિ સમૃધ્ધધ દેશો પણ કોરોના વાઇરસ સામે વામણા પુરવાર થયા છે, ત્યાીરે કોરોના વાઇરસ સામેના જંગમાં ભારતના પ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદ અને હોમીયોપોથી ચિકિત્સાુ કારગત નીવડી રહી છે. વર્ષોથી ભારત દેશ આયુર્વેદનો ઉપયોગ કરતો આવ્યોન છે. આજે આયુર્વેદ થકી કોરાના સામે રક્ષણ મેળવવાના આશાના કિરણો બંધાયા છે. અતિ ગંભીર રોગો સામે પણ પ્રતિકાર કરવામાં આયુર્વેદ જડીબુટ્ટી સાબિત થઇ છે. કોરાના વાઇરસ સામે રોગપ્રતિકારક શકિત મેળવવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયે પણ માર્ગદર્શિકા મુજબ નિયામકશ્રી આયુષ ગાંધીનગર દ્વારા અમૃત પેય ઉકાળો, શંશમનીવટી તેમજ હોમીયોપેથિક આર્સેનિક આલ્બરમનું વિતરણ કરવા જણાવ્યું છે.
હવે કોવિદ-૧૯ના પોઝીટીવ દર્દીની સારવાર માટે એલોપોથી સારવારની સાથે આયુર્વેદ અને હોમીયોપેથિક સારવાર માટે ડૉકટર તૈનાત કરાયા છે. જ્યાંી સુધી કોરાનાથી રક્ષણ મેળવવા દવાની શોધ ન થાય ત્યાં સુધી રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જરૂરી છે. આ માટે આયુર્વેદ અમૃત પેય ઉકાળો, શંશમનીવટી તેમજ હોમીયોપેથિક આર્સેનિક આલ્બિમ સૌથી વધુ કારગત નીવડી છે.
વલસાડ જિલ્લામાં પણ કોવિદ-૧૯ ના ફેલાવાને રોકવા વહીવટીતંત્ર સજજ છે. આયુર્વેદિક /હોમીયોપેથિક વિભાગ દ્વારા કોરાના પ્રતિરોધક દવા અને ઉકાળાનું વિતરણ સમગ્ર જિલ્લામાં કરવામાં આવી રહયું છે. વલસાડ જિલ્લા આજ દિન સુધીમાં અમૃત પેય ઉકાળા અને શંશમનીવટી પ લાખથી વધુ લોકોને આપવામાં આવ્યા છે. તેની સાથે હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બ મ ૩૦ પોટેન્સીથ બે લાખથી વધુ લોકોને આપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ, આરોગ્યદ વિભાગ, જી.ઇ.બી, સવિલિ હોસ્પિેટલ, આરપીએફ સ્ટાેફને પણ આવરી લેવામાં આવ્યામ છે. જિલ્લાના સરકારી આયુર્વેદ હોસ્પિિટલ દવાખાના અને હોમિયોપેથી દવાખાના દ્વારા નિરંતર કાર્ય કરવામાં આવી રહયું છે.
ઉલ્લેખનીય છે કે, આયુર્વેદ/હોમિયોપેથી વિભાગ દ્વારા નિમાયેલા ડૉકટર્સ દ્વારા જિલ્લાના કોરેન્ટાાઇન સેન્ટેર ખાતે દાખલ કરાયેલા દર્દીઓને ઉકાળો અને દવાઓનું સાત દિવસ સુધી વિતરણ કરવામાં આવે છે. કોરેન્ટાાઇન થયેલા ૧૮૦થી વધુ દાખલ દર્દીઓને આયુર્વેદ/ હોમિયોપેથી દવાની સરવાર થકી નેગેટીવ રીપોર્ટ આવ્યો છે.
વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. મનહરભાઇ ચૌધરી જણાવે છે કે, કોરાનાની મહામારી સામે રોગ પ્રતિકારક શકિત ટકાવી રાખવા (૧) સુર્યોદય પહેલાં જાગી જવું (૨) ઘરમાં કરી શકાય તેવી હળવી કસરત જોગીંગ (૩) કપાલ ભ્રાંતિ તથા અનુલોમ-વિલોમ પ્રાણાયમ (૪) નિયમિત અને પ્રમાણસર ઉંધ લેવી (૫) સુંઠ અડધી ચમચી, તુલસી પાન-૧૦, મરી-૨, હળદર અડધી ચમચી એક ગ્લાિસ પાણીમાં નાંખી અડધું થાય ત્યાંે સુધી ઉકાળી ગાળીને તે ઉકાળો લેવો (૬) દિવસ દરમિયાન હુંફાળા પાણીનો ઉપયોગ કરવો(૭) ગરમ પાણીમાં અજમો ફુદીનો નાંખીને નાસ લેવો (૮) ગરમ પાણીમાં હળદર મીઠું નાંખી કોગળા કરવા (૯) પચવામાં હલકો સુપાચ્યમ ખોરાક લેવો (૧૦) ઘરમાં ગુગળ, લીમડાના પાન, સરસવ, અડાયા છાણ અને ગાયનું ઘી નાંખી ધુપ કરવું (૧૧) તજ, મરી, સુંઠ, તુલસીપાન કાળી દ્રાક્ષનો ઉકાળો દિવસમાં બે વાર પીવો (૧૨) એક ગ્લાાસ દુધમાં એક ચમચી હળદર નાંખીને (ગોલ્ડ ન મીલ્ક,) પીવું જોઇએ.
આ ઉપરાંત (૧) શંશમવટી -૨ ગોળી સવાર- સાંજ હુંફાળા પાણી સાથે(૨) દશમૂલ કવાથ, પથ્યાપદિ કવાથ- ૪૦ મીલી સાથે ત્રિકૂટ ચૂર્ણ ઉકાળો – ૭ દિવસ (૩) હોમિયોપેથી આર્સેનિક આલ્બ મ -૩૦ પોટેન્સી, ૪ ગોળી સવાર-સાંજ -૪ દિવસ સુધી ભુખ્યા્ પેટે લેવી તેમજ તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાંખીને પણ લઇ શકાય.
હાલના કોરાના સમયગાળા દરમિયાન આ ન કરવું. (૧) રાત્રે ઉજાગરા નહીં દિવસે ઉઘવું નહીં (૨) ઠંડા પીણાંનો ઉપયોગ ટાળવો (૩) ફ્રીઝનું ઠંડુ પાણી પીવું નહીં (૪) પચવામાં ભારે તળેલા, મીઠાઇ, આથાવાળા, વાસી, ફ્રીજમાં રાખેલા ખોરાક તથા જંક ફુડનો ઉપયોગ ટાળવો જોઇએ.
આ અંગે કોઇ મુંઝવણ હોય તો નજીકના આયુર્વેદ, હોમીયોપેથી દવાખાના કે જિલ્લા પંચાયત આયુર્વેદ વિભાગનો સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાય છે.