અરવલ્લી ખાણ-ખનીજ વિભાગના સમાચાર છપાતા તંત્ર ઉંધા માથે…!
- પત્રકાર પર ખાણખનીજ તંત્રના એડી.ડાયરેકટર ડી.એમ.સોલંકી તાડુક્યા
અરવલ્લી જિલ્લામાં ખાણખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ગાંધીનગરના છુપા આશીર્વાદ થી ખનીજ માફિયાઓ સાથે સાંઠ-ગાંઠ કરી બેફામ ખનીજ ચોરી કરી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને ખનીજ માફિયાઓ અને વહીવટદારો કરોડો રૂપિયામાં આળોટી રહ્યા છે કેટલાક ખનીજ માફિયાઓ તો ગાંધીનગર સુધી પહોંચતા હોવાથી રોયલ્ટી ચોરીની રકમની માંડવાળી પણ બરોબર કરી સરકારી તિજોરીને વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે.
અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ગાજણ નજીકથી હાર્ડ મોહરમ ભરેલ બે ડમ્પર ઝડપી પાડી તેમજ ખનીજની ચોરી ચાલી રહી હતી તે સ્થળેથી પણ દસ જેટલા ડમ્પર અને એક હિટાચીને ગેરકાયદેસર ખનીજ ઉલેચાતાં પકડી લીધા પછી ખાણ ખનીજ વિભાગે બરોબર વહીવટ કરી લીધો હોવાની માહિતી પત્રકારને પ્રાપ્ત થતા આ અંગેના સમાચાર હિન્દુસ્તાન સમાચાર માં છપાતા ખાણખનીજ વિભાગમાં હડકંપ મચ્યો હતો અને કમિશ્નરે તપાસના આદેશ એડિશનલ ડાયટકટરને સોંપાઈ હોય કે પછી અગમ્ય કારણોસર એડિશનલ ડાયરેકટર ડી.એમ.સોલંકી નામે એ પત્રકારનો નંબર મેળવી “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાન્ટે” તેમ પૂછપરછ કરતા પત્રકાર પણ ચોકી ઉઠ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરી ની વિગતો આપનાર વ્યક્તિઓ ને રક્ષણ આપી નામ કે તેની ઓળખ છૂપું રાખતા હોય અને અને પ્રોત્સાહિત કરવા ઇનામો આપી સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે આવા ઉચ્ચ સ્થાને બેઠેલા અધિકારીઓ સરકાર ની તિજોરીઓ ને તળિયા ઝાટક બોલાવનાર નો પક્ષ માં હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગના કર્મચારીઓએ બે ડમ્પરને કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કર્યા વગર ખિસ્સા ગરમ કરી લીધા હોવાના હિન્દુસ્તાન સમાચારમાં સમાચાર પ્રસિદ્ધ થતા ખાણ ખનીજ તંત્રએ અરવલ્લી જીલ્લા ખાણ ખનીજ વિભાગમાં તપાસ કરવાના બદલે રક્ષણ આપતા હોય તેવું લાગી રહ્યું છે.
ખાણખનીજ વિભાગમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાના સમાચારનું રિપોર્ટિંગ કરનાર પત્રકારને ખાણખનીજ વિભાગના એડિશનલ ડાયરેકટર તરીકે ઓળખ આપી ડી.એમ.સોલંકીએ તેમના મોબાઈલ પરથી પત્રકારને ફોન કરી ધમકાવતા સુરની ભાષામાં વાત કરતા પત્રકાર પણ વિચારમાં પડી ગયા હતા ક્યાંથી તોડ કર્યો અને કેટલો તોડ કર્યો અને બે લાખનો તોડ કોને કર્યો તેવા પ્રશ્નો પૂછી તમે લખ્યું છે તો તોડ કોને કર્યો છે તેમ કહી ધમકાવતાં અને તાડુક્યા હતા અને તમારું નિવેદન આપો કહી તમે મારી વાત સાંભળો અને મને પુરાવા આપો તેમ કહેતા પત્રકારે પણ ચોકી ઉઠ્યો હતો અને તપાસ કરવાનો આપનો વિષય છે તેમ જણાવી ફોન કટ કરી દેવા મજબુર બન્યા હતા.
પત્રકાર નો ફોન તેમની પાસે આવ્યો ક્યાંથી તે એક સવાલ છે તેમના ફૂટી ગયેલા તંત્ર જવાબદાર હોવાનું છતું થઈ રહ્યું છે રાજ્ય સરકાર આવા અધિકારીઓ ને તાત્કાલિક પાણીચુ પકડાવી તેમની ઇન્કમો અને માલ મિલકતો ની તપાસો કરવી શાન ઠેકાણે લાવવી જોઈએ જેથી બીજીવાર કોઈ આવું કરે નહિ આ આધિકારી ની સામે પત્રકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી લેખિત ફરિયાદો કરવામાં આવશે.
રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)