સાબરકાંઠા જિલ્લા સમાહર્તાની પ્રેરક ઉપસ્થિતિમા પોગલુ ગામે આર્સનિક આલ્બમ-30 દવાનુ વિતરણ
- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકામાં દવાનુ વિના મુલ્ય વિતરણ કરાશે
- પોગલુ ગામમાં આયુર્વેદિક ઉકાળાનુ અને દવાનું ઘરે-ઘરે જઈ વિતરણ કરાયું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પોગલુ ગામે જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્ર્મે આર્સનિક આલ્બમ -૩૦ દવાનુ વિતરણ કરાયું હતું. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી લડી રહ્યું છે ત્યારે કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક ક્ષમતામાં વૃધ્ધિ એક સારો ઉપાય છે. જેના માટે આયુર્વેદિક દવા અને હોમિયોપેથિ દવા આશિર્વાદ સમાન છે. જિલ્લા વહિવટી તંત્ર જિલ્લા પંચાયત દ્રારા આ આયુર્વેદિક ઉકાળા કેમ્પ અને ઘરે-ઘરે જઈ આર્સનિક આલ્બમ -૩૦ દવાનુ વિતરણ કરવામાં આવે છે.
આ સમયમાં વહિવટી તંત્રને મદદરૂપ થવાના એક પ્રયાસરૂપે સચિનકુમાર ગોરધનભાઇ પટેલ (યુ.એસ.એ) અને પંચમ ગૃપ રીતેષ પટેલ, નિતીન પટેલ, સંજય ડી. પટેલ, રાજેશ પટેલ અને અન્ય મિત્ર વર્તુળ દ્રારા લોકો કોરોના મુક્ત રહે તે માટે આર્સનિક આલ્બમ -૩૦ દવાનુ વિતરણ તેમજ ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગૃપ દ્રારા પ્રાંતિજ અને તલોદના ૩૦ હજારથી વધુ પરીવારોને આ દવા પહોંચાડવાનો નિર્ધાર છે.
આ વિતરણની શરૂઆત કરાવતા જિલ્લા સમાહર્તાશ્રીએ ઉપસ્થિત લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથિક દવાના ઉપયોગ અંગે માહિતગાર કરતાં આ વિતરણના અભિગમને આવકાર્યો હતો અને આ ગૃપના મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો. પોગલુ ગામના ૫૦૦ ઘરોમાં દરેક ઘેર-ઘેર જઈ ૨૮૦૦થી વધુ લોકોને દવા અપવામાં આવી છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)