રાજકોટ શહેર માર્કેટિંગ યાર્ડ ચોમાસાથી રક્ષણ મેળવા સજ્જ
રાજકોટ ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડમાં આવતા દરેક શાકભાજી ડુંગળ-બટાકાના જથ્થાને ચોમાસાથી નુકસાની ન થાય તેવા હેતુથી યાર્ડના દરેક પ્લેટફોર્મની કાળજીપૂર્વક સલામતી અને સાવચેતીની તકેદારીઓ રાખવામાં આવી છે. પ્લેટફોર્મ ઉપર મજબૂત પત્રાનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમજ થરાની માપસર ઊંચાઈ રાખવામાં આવી છે. જેથી ખેડૂતોના માલને કોઈપણ જાતની નુકસાની ન પહોંચે વેપારીઓને પણ અગવડતા ન પહોંચે તેની પણ તકેદારીઓ રાખવામાં આવી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)