રથયાત્રાનો મામલો હાઈકોર્ટમાં પહોચ્યો
અમદાવાદ રથયાત્રાને લઈને હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર રોક લગાવતી કરાઈ છે. અને અર્જન્ટ ચાર્જની સુનાવણી કરવા અરજદારે કોર્ટમાં માગ કરી છે. સુપ્રીમ કોર્ટ બાદ હવે હાઇકોર્ટમાં પણ અમદાવાદની રથયાત્રા ને લઈને અરજી થઈ છે. જેમા કોરોનાની મહામારીનો વચ્ચે રથયાત્રા ન કાઢવાની અરજી કરવામાં આવી છે. જગન્નાથપુરીની રથયાત્રા બાદ હવે અમદાવાદની રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમદાવાદમાં રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે, રથયાત્રાના કલાકો ઘટશે કે, પછી રથયાત્રા રદ્દ થશે.જગન્નાથપુરીની રથયાત્રા બાદ હવે અમદાવાદની રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમદાવાદમાં રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે, રથયાત્રાના કલાકો ઘટશે કે, પછી રથયાત્રા રદ્દ થશે.
ભગવાનની મરજી હશે તેમ થશે
સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને મંદિરના મહંત દિલિપદાસજીએ મહત્વનું નિવેદન કર્યું છે…તેઓએ કહ્યું કે આ વર્ષે 143મી રથયાત્રા છે. અત્યારસુધી ક્યારેય રથયાત્રા અટકી નથી…આ એક લોકોત્સવ છે…યાત્રા સંદર્ભે જે પણ આદેશ થશે તે મુજબ કાર્ય કરાશે. ભગવાનની મરજી હશે તેમ થશે. હજુ સરકાર સાથે વાત થઇ નથી.મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે પૂરીની રથયાત્રા પર આ વર્ષે પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે અમદાવાદની રથયાત્રા અંગે હજુ ચર્ચા થઇ ન હોવાની વાત મહંતે કરી છે બેઠક બાદ યોગ્ય નિર્ણય લેવાની વાત દિલિપદાસજીએ કરી છે.