રાજપીપલા ખાતે નર્મદા કોંગ્રેસના સમિતિ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં આવેદન
- ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અસહ્ય ભાવ વધારો કરી ચલાવાતી ઉઘાડી લૂંટ બંધ કરો.
સરકારે સતત 20 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો છે. આ ડીઝલના ભાવ પ્રતિ લિટર રૂ 10.80 અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 8.87 નો વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર અને ગેર વ્યાજની વધારો થયો છે. રાજપીપલા ખાતે નર્મદા કોંગ્રેસના સમિતિ દ્વારા પેટ્રોલ અને ડિઝલના સતત વધતા જતા ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી આજે નર્મદા કલેકટર ને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, કોવીડ -19 મહામારી ના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમા છે.એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બન્યો છે.
આ અસહ્ય પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી કોરોના જેવા સંકટ સમયમાં લોકો નો રોજગાર ધંધો બંધ પડ્યો છે, ત્યારે આ ભાવ વધારો સામાન્ય જનતા માટે અસહ્ય થઈ પડ્યો છે.એટલું જ નહીં પહેલીવાર પેટ્રોલ કરતાં ડીઝલનો ભાવ વધ્યા હોવાથી ટ્રાન્સપોર્ટેશન ના ભાવો પણ વધવાની પ્રજાની માર પડશે. ભાજપની સરકાર ભાવ ઘટાડવામાં નિષ્ફળ નીવડી છે,તેમ જણાવી સત્વરે પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડી પ્રજાને રાહત આપવાની માંગ કરી હતી.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા , પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા, જિલ્લા કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ, ઉપપ્રમુખ જયંતીભાઈ વસાવા, સહિત સદસ્ય જિલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયતના સભ્ય તેમજ સેલના ચેરમેન તેમજ લઘુમતી સેલના ચેરમેન, યુવા કોંગ્રેસ ટીમ તિલકવાડા તાલુકા, કોંગ્રેસ હોદ્દેદારો તેમજ કાર્યકરોએ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એકસાઇઝ ડયુટીમાં વારંવાર અને ગેર વ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી આર્થિક હાનિનો સામનો કરી રહ્યો છે, ત્યારે મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેમજ એકસાઇઝ ડયુટીમાં વારંવાર વધારો કરી પ્રજાની હાડમારી માંથી નફાખોરી કરી રહી છે.
જ્યારથી ભાજપ સત્તા પર આવેલ છે ત્યારથી પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી રૂપિયા 9.20 પ્રતિ લીટર અને ડીઝલ ઉપર રૂપિયા 3.46 પ્રતિ લીટર હતી, જે છેલ્લા છ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂપિયા 23.4 પ્રતિ લીટર અને ડીઝલ ઉપર 28.37 પ્રતિ લીટર એક્સાઈટ નો વધારો કરેલ છે. માત્ર પેટ્રોલ અને ડીઝલના ભાવો અને એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો દ્વારા જમીનની સરકારે છેલ્લા છ વર્ષમાં 1800000/- કરોડની કમાણી કરી છે. ત્રણ માસ પૂર્વે લોકડાઉનના સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં અને એક્સાઈઝ ડયૂટીમાં વારંવાર વધારા દ્વારા જે ખાંડની અને નફાખોરી વસૂલવામાં આવી રહી છે. તે શોષણ અને સૌથી વરવું સ્વરૂપ છે.
સરકારે સતત 20 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે આ ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 10.80 નો અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા. 8.87 નો વધારો થયો છે. તેથી માત્ર છેલ્લા સાડાત્રણ મહિનામાં જ ભાજપ સરકારે ડીઝલના ભાવો અને તેના પર એકસાઈઝ ડ્યુટી માં પ્રતિલીટર રૂપિયા 20.48 નો અને પેટ્રોલમાં રૂપિયા 21.50 નો વધારો કર્યો છે. સરકાર દ્વારા પ્રજાનો આનાથી વધારે ખરાબ શોષણ શું હોઈ શકે ?ભારતની પ્રજાની છેતરપિંડી અને તેની પરસેવાની કમાણીમાંથી લોહી ચૂસવાની વૃત્તિનો સૌથી મોટો પુરાવો એ હકીકત કે છેલ્લા કેટલાક મહિનાથી ફૂડ ના ભાવો ઘટી રહ્યા છે.
જ્યારે કોંગ્રેસ યુપીએ સરકાર ઉપર હતી ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 108 અમેરિકન ડોલર હતો જે 24 જૂન 2020 ના રોજ ઘટીને પ્રતિ બેરલ 43.41 અમેરિકન ડોલર થઇ ગયો, એટલે કે તેના ભાવ માં 60 ટકા જેટલો ઘટાડો થયો છે. આમ છતાં ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં તોતિંગ વધારો કર્યો છે. એમ જણાવી 5 મી માર્ચ પછી ના પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા અને તેના ઉપર એક્સાઈઝ ડ્યુટીના વધારા પાછા ખેંચવા રજૂઆત કરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા