રાજકોટ મનપાની સામાન્ય સભામાં હંગામો
રાજકોટ શહેરની મનપાની સમાન્ય સભા શરૂ થતાની સાથે હંગામો થયો. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર બીમાર હોવાથી હાજરીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસના કોર્પોરેટરો સામાન્ય સભા છોડી બહાર જતા રહ્યા હતા. કોર્પોરેટર દ્વારા ધરણા કરી રામધૂન બોલાવવામાં આવી હતી.