પેટલાદ ખાતે શ્રી જમનાદાસ મહારાજ સેવા ટ્રસ્ટ તથા જન સેવા ગૃપ તરફથી શ્રી જમનાદાસ વૃદ્ધાશ્રમનો શુભારંભ
પેટલાદ ખાતે તાં ૧/૭/૨૦ના રોજ સવારે ૧૦ વાગે મહાનુભાવોના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જનસેવા ગૃપ તરફથી વૃદ્ધાશ્રમ સરું કરવાં.નો વિચાર કર્યો હતો સંકલ્પ કર્યો હતો તે આજે સંકલ્પ પૂરો થયો છે સવારે ધાર્મિક પૂજા વિધિ બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલો મૂકવામાં આવ્યો હતો. દાતાઓ તરફથી ખુબ દાન મળ્યું હતું. આ પ્રસંગે વાસુદેવ મહારાજ (રણછોડજી મંદિરના મહંત) આનંદ સ્વામી (મહંત દંતાલી આશ્રમ) સી.ડી.પટેલ (પૂર્વ મંત્રી), પ્રદીપભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ, રાજુલાબેન્નપટેલ, જી.પ.સભ્ય જનસેવા ગૃપ પેટલાદના પ્રમુખ વિપુલ સોલંકી, હરીશભાઈ પટેલ ખજાનચી, આર.કે.પટેલ, કે. બી. પટેલ, જીતુભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, કમલેશભાઈ પરમાર, હરીશભાઈ જાની, ભાવિક બારોટ, એન.સી.પટેલ, પરેશ શાહ, ભાવેશ પટેલ, કૌશિકભાઈ દેવમુરારી સહિત જનસેવા ગૃપ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
વિપુલ સોલંકી / હરીશ પટેલ / rumit મકવાણા