આર્થિક સંકડામણથી ઊભા થયેલા પારિવારિક ઝગડાનું નિરાકરણ કરતી ૧૮૧ અભયમ વલસાડ ટીમ
વલસાડ,
વલસાડના ઉમરગામથી એક પરણિતાનો અભયમ ૧૮૧ મહિલા હેલ્પરલાઇન ઉપર કોલ આવ્યોન હતો કે તેના પતિ ઘરમાં નથી એટલે મારા સાસુ અને દિયર મારી સાથે ઝગડો કરી ઘરમાંથી નીકળી જવા કહે છે. આ બાબતમાં મદદ કરવાનું જણાવતા વલસાડની ૧૮૧ અભયમ રેસ્યુથ ટીમે તાત્કાહલિક સ્થ ળ પર પહોંચી પરણિતા અને તેના સાસરીવાળા સાથે કાઉન્સેિલિંગ કર્યુ હતુ. કાઉન્સે લિંગ દ્વારા જાણવા મળ્યું હતું કે, પરણિતાના પ્રેમ લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા અને તેઓ સંયુક્તા પરિવારમાં રહેતા હતા. પરણિતાના પતિ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને બાકીના ઘરના લોકો ખેતી કરતા હતા.
કોરોનો મહામારીમાં પરણિતાના પતિની નોકરી બંધ થઈ જતા પગાર આવતો ન હતો. જેથી તેને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેંલી પડતી હતી. પરિવારની બચત પણ લોકડાઉન દરમિયાન વપરાઈ ગઇ હતી. જેથી કરિયાણું પરણિતા તેના પિયરમાંથી લઈ આવતા બે ટંક જમવાનું મળી રહેતુ હતું. પરંતુ ઘરની અન્યિ ચીજ વસ્તુો ખરીદવા પૈસાની ખેંચ પડતા પરણિતાની સાસુએ પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરતા હતા. પરંતુ પરણિતાના પિતાની પણ આર્થિક રીતે સધ્ધદર ન હોવાથી વધુ મદદ કરી શકે તેમ ના હતા. આમ આર્થિક કટોકટીને લઈ સાસરીવાળા પરણિતા સાથે ઝગડા કરતા અને રૂપિયા ના લઈ આવવા હોય તો, ઘરમાંથી નીકળી જવાનું કહેતાં પરિવારમાં ખટરાગ શરૂ થયો હતો
હાલમાં કોરોનામાં લોકડાઉનનું અનલોક થતાં પરિસ્થિડતિમા સુધારો થતાં પરણિતાના પતિએ નવી નોકરી શોધી છે. પરંતુ પગાર ન થતાં મુશ્કેમલી અનુભવી રહયા હતા. છેલ્લા બે દિવસથી સાસુ વહુ વચ્ચેએ ઝગડો વધી ગયો હતો. જેમાં દિયરે ભાભીને અપમાનજનક શબ્દોલ કહી મારવા લેતા અને ઘર ખાલી કરવા તાકીદ કરતા પરણિતાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી મદદ માંગી હતી.
૧૮૧ અભયમ ટીમે પરિવારને સાથે રાખી સમજાવ્યા કે, મહામારીમાં ઘણા લોકો હેરાન થયા છે. ઘણા લોકોના ધંધા રોજગાર બંધ થઇ ગયા છે. તમારે પણ શાંતિ રાખી સમસ્યાઘનો સામનો કરવો જોઈએ. સાસુને પણ સમજાવ્યુંળ હતું કે પુત્રવધુને દીકરીની જેમ માનસન્માેન આપે. જયારે પરણિતાને પણ પરિવારને મદદરૂપ બનવા કોઈ આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુંમ હતું. આમ પરિવારના સભ્યોેને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી પારિવારિક ઝગડો ના કરી શાંતિ અને સંપી ને રહીશું, તેની ખાતરી આપી હતી.