મહારાષ્ટ્રનાં તમામ ધાર્મિક સ્થળ ખોલવા માટે ઉધ્ધવ ઠાકરેને વિનંતી : હાર્દિક હુંડીયા
- અંગ્નેજો એ પણ તેમનાં શાશનકાળ માં મૂર્તિ પુજા ને રોકી નહીં હતી
મુંબઈ શહેર ને માયા નગરી નહીં પરતું *માઁ મઇ* નગરી ની ઉપમા આપનાર અને ધર્મ ને જીવન માં પ્રથમ સ્થાન પર રાખનાર પરમ ધર્મપ્રેમી હાર્દિકજી હુંડીયા જણાવ્યું કે મુંબઈ શહેર ત્રણ માતા નાં ગર્ભ માં ઉછરેલું શહેર છે . માતા મહાલક્ષ્મી, માતા મુંબાદેવી,માતા જીવદાની. માતા સદૈવ મુંબઈ નગરી ની રક્ષાકવચ બની ને રક્ષા કરે છે. આવી પરમ પવિત્ર નગરી નાં , મહારાષ્ટ્ર નાં અન્ય શહરો અને ગામ નાં ધાર્મિક સ્થળ નાં દરવાજા હવે ખુલવા જોઈએ તેવી વિનંતી હાર્દિક જી હુંડીયા એ એક પત્ર મહારાષ્ટ્ર સરકાર નાં મુખ્યમંત્રી ઉધ્ધવજી ઠાકરે ને પાઠવ્યો છે તેમાં તેઓ એ મહારાષ્ટ્ર નાં બધાં જ ધાર્મિક સ્થાન હવે ખોલી નાખવા માં આવે તે વાત પર વિશેષ ભાર આપ્યો છે.
હાર્દિક જી હુંડીયા એ મુખ્યમંત્રી ઉધ્ધવજી ઠાકરે ને સંબોધતા લખ્યું છે કે ઉધ્ધવજી આપશ્રી એ રાજનીતિ માં તે ચમત્કાર કરી બતાવેલ છે જે કોઈ પણ રાજનેતા કરવા માટે વિચારી પણ શકે નહીં. વિરોધી ઓ ને ગળે લગાડી ને જે રીતે મહારાષ્ટ્ર માં શાશન ચલાવી રહયા છો તે દેશ નાં ઈતિહાસ માં સુવર્ણ અક્ષરે નોંધાશે. પરમ વંદનીય બાળાસાહેબ ઠાકરે નાં અનમોલ સંસ્કારોનું સિંચન અને આપના અનમોલ કાર્ય ની દેશ નોંધ લઇ રહેલ છે.આપ એક ધર્મપ્રેમી પરિવાર થી છો.આપશ્રી ને બે હાથ જોડીને વિનંતી છે કે આપ મહારાષ્ટ્ર નાં બધા જ ધર્મ સ્થાન ખોલાવી ને દેશ ને એક અણમોલ સંદેશ આપો.
કેટલીય ભયંકર બિમારી આવે પણ ધર્મ સ્થાનો બંધ નહીં જ રહે.
ભારત દેશ ને આઝાદી અપાવનાર આપણાં સૌના પરમ આદરણીય શ્રી લોકમાન્ય ટિળક ને યાદ કરીએ , આપણાં સૌના દુઃખ દૂર કરવા વાળા ગણપતિ દાદા નાં નામ પર લોકો ને એકઠા કરી ને દેશ ને આઝાદી અપાવવા માં તેમનો અને આપણાં ગણપતિ દાદા ની મૂર્તિ નો વિશેષ ફાળો છે . હાર્દિકજી હુંડીયા એ કહ્યુ કે આપણાં દેશ ઉપર શાશન કરનાર અંગ્રેજોએ પણ પરમ વંદનીય ગણપતિ દાદા નાં નામ પર થતી પુજા અર્ચના ને કયારેય રોક લગાડી નહીં હતી. આપણે તો હિંદુ છીએ, આપણું શાશન છે પછી શા માટે ભગવાન નાં મંદિર બંધ રાખવા માં આવેલ છે?
ઉધ્ધવ સાહેબ તમે જ વિચારો કે આપણાં સૌના દુઃખ દૂર કરવા વાળા ગણપતિ દાદા ની મૂર્તિ ને કારણે આપણને સૌ ને અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ કરીને વિજય અપાવવા માં આટલો મોટો હાથ છે તો પછી તેમના દરવાજા બંધ કેમ? આપણા સૌના આસ્થા નાં પ્રતિક છે ભગવાન નાં દેવસ્થાન. આપશ્રીને નમ્ર વિંનતી કે મંદિર , મસ્જિદ, ગુરુદ્રારા , ચર્ચ કોઇપણ ધાર્મિક સ્થળ હવે બંધ ના થાય. આ બધાં દેવસ્થાન તો સંકટ દુર કરનાર આસ્થા અને ભગવાનની ભક્તિ નું વિશેષ સ્થાન છે. હાર્દિક જી હુંડીયા એ જણાવ્યું કે ઉધ્ધવ જી નાં નેતૃત્વ માં મહારાષ્ટ્ર ને નવી શક્તિ અને નવી દિશા પ્રાપ્ત થાશે.