સરડોઈ ગાયત્રી આશ્રમે ગુરુપૂર્ણિમાની ઉજવણી મોકૂફ : કોરોનાના કારણે નિર્ણય
સરડોઈ : મોડાસા તાલુકાના સરડોઈ ના પ્રસિદ્ધ ગાયત્રી આશ્રમે પરંપરાગત રીતે ઉજવાતો ગુરુ પૂર્ણિમા મહોત્સવ આ વખતે કોરોનાના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આસ્થાના પ્રતિક સમા આશ્રમે પૂજ્ય પ્રદ્યુમન બાવજીની નિશ્રામાં ઉજવાતા મહોત્સવ માં મોટી સંખ્યામાં જનમેદની ગુરુ પૂજન અને મહાપ્રસાદનો લાભ લે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને કારણે ગુરુ પૂનમની ઉજવણી સરકારની ગાઈડ લાઈનને અનુસરી બંધ રાખવામાં આવી છે.
દિનેશ નાયક (સરડોઈ)