ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા
- ગ્રામ્ય કક્ષાએ વધુ ૭ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા ડિસ્ચાર્જ કરાયા
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૩ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય કક્ષાના ૭ કોરોનાના દર્દીઓ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજના દિવસમાં બે વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ તા. ૦૨ જુલાઇના સાંજના ૫.૦૦ કલાક બાદ ગાંધીનગર તાલુકામાં ત્રણ, અને કલોલ તાલુકામાં દશ મળી કુલ- ૧૩ કોરોનાના પોઝિટીવ કેસ આવ્યા છે.
આજે જિલ્લામાં નોધાયેલા કોરોનાના કેસોમાં ગાંધીનગર તાલુકાના કુડાસણ ગામમાં ૫૪ વર્ષીય મહિલા, લીંબડીયા ગામમાં ૪૫ વર્ષીય મહિલા અને મહુન્દ્ર ગામમાં ૪૭ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે. કલોલ તાલુકામાં સઇજ ગામમાં ૪૯ વર્ષીય પુરૂષ, ૪૨ વર્ષીય મહિલા, ૨૦ વર્ષીય યુવતી અને ૧૧ વર્ષીય કિશોર, રાંચરડા ગામમાં ૨૨ વર્ષીય યુવતી, ગોલથરા ગામમાં ૨૨ વર્ષીય સ્ત્રી, છત્રાલ ગામમાં ૬૭ વર્ષીય મહિલાઅને કલોલ શહેરમાં ૫૯ અને ૭૪ વર્ષીય પુરૂષ અને ૩૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. આજે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કુલ- ૦૭ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમજ ગાંધીનગર તાલુકાના ૫૯ અને ૫૩ વર્ષીય પુરૂષનું મૃત્યૃ થયું છે.
અત્યારસુધી જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક ૪૯૯એ પહોંચ્યો છે. જેમાં ૧૦૮દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ ૩૪૮ વ્યક્તિઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૭ વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. તેમજ ૧૫,૪૩૬ વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૧૫,૩૯૮ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન, ૦૮ વ્યક્તિઓ સરકારી ફેસીલીટીમાં કોરોન્ટાઇન અને ૩૦ વ્યક્તિઓ ખાનગી ફેસીલીટીમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.