સુરતમાં વિસ્તારમાં લાગ્યા પોસ્ટર : આરોગ્ય મંત્રી ખોવાયા છે…!
રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ ઘાતક વાયરસની અસર સુરતમાં પણ વર્તાઈ છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના વરાછા વિસ્તારમાં આરોગ્ય મંત્રી ખોવાયા છે ના પોસ્ટર લગાવામાં આવ્યા છે. આમઆદમી પાર્ટીના નામથી પોસ્ટર લગાવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ખોવાયા છે ના પોસ્ટર લગાવામાં આવ્યા આરોગ્ય મંત્રી ખોવાયા છે જે કોઈને મળે તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચાડે તેવો બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોવિડની મહામારી વચ્ચે આરોગ્ય મંત્રી કુમારકાણાની ગેરહાજરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.