તા. ૨૪ જુલાઈ ૨૦૨૦ના રોજ પાલનપુર ખાતે ડાક અદાલત યોજાશે
- અરજદારોએ ૧૭ જુલાઈ સુધીમાં અરજી મોકલવાની રહેશે
પાલનપુર
બનાસકાંઠા ડીવીઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્રનોના નિકાલ કરવા તારીખ ૨૪ જુલાઈ ૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા, પાલનપુરની કચેરીમાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ફરિયાદ/આવેદન પત્ર ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘરની કચેરી બનાસકાંઠા ડિવીઝન, પાલનપુરને તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૦ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવી. ત્યારબાદ આવેલ ફરીયાદ/આવેદન પત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહી. તેમ ડાકઘર અધિક્ષક, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુરના શ્રી અખારામ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.