રાજકોટ : કોરોનાના કેસ વધતા વેપારી એસોસિએશને લીધો મહત્વનો નિર્ણય
રાજકોટ શહેરમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને વેપારી એસોસિએશને તાત્કાલિક મિટિંગ બોલાવી હતી. અને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. મોચીબજાર, પરાબજાર, દાણાપીઠ એસોસિએશને રાત્રે ૮ ના બદલે સાંજે પ વાગ્યે જ માર્કેટ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. અને જે વેપારી સાંજે પ વાગ્યા બાદ દુકાનો ખુલી રાખશે તેને પ્રથમવાર રૂ.૫૦૦નો દંડ અને બાદમાં રૂ.૧૦૦૦નો દંડ એસોસિયેશન તરફથી થશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)