જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલને પદેથી હટાવાયા
બારડોલી. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠનના પ્રમુખ જગદીશભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલા રહેતા હતા કદાવર યુવા નેતાઓને યેનકેન પ્રકારે કોઈક ના ઈશારે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરતા હોવાની ફરિયાદો ઊઠી છે ત્યારે બારડોલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખની માંગને ધ્યાને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ તાત્કાલિક અસરથી જગદીશભાઈ પટેલ ને પદ પરથી હટાવ્યા છે અને માંડવી ના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીને કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક આપી છે. જગદીશભાઈ પટેલને તાત્કાલિક અસરથી પરથી હટાવી દેવાનો નિર્ણય સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પટેલ કોઈક ના ઈશારે કાર્યકર્તા હોય તેવા આક્ષેપો બારડોલી યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
જોકે છેલ્લા ઘણા સમયથી જિલ્લા સંગઠન પ્રમુખ જગદીશ પટેલ નો ઇતિહાસ જોતા દર્શન નાયક જેવા કદાવર નેતાઓ ને પણ સસ્પેન્ડ કરવાના કાવતરાનો કરી ચૂક્યા છે ત્યારે હાલ થોડા દિવસો અગાઉ કોંગ્રેસના યુવા અને કદાવર નેતા ધર્મેન્દ્રસિંહ સોલંકીને સસ્પેન્ડ કરતા જિલ્લાકોંગ્રેસમાં ખળભળાટ મચ્યો હતો. અને બારડોલી વિધાનસભા યુથ પ્રમુખ વિજય ભાઈ વાઘેલાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા ને લેખિતમાં રજૂઆત કરી હતીઅને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર વિવાદમાં રહેતા સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ પટેલને તાત્કાલિક અસરથી પરથી હટાવી દેવાનો નિર્ણય કરાયો છે.
આનંદ ચૌધરી કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા એ એ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે માંડવીના ધારા સભ્ય આનંદ ભાઈ ચૌધરી ની વરણી કરતા જિલ્લા ભરમાં આનંદ ની લાગણી ફેલાઇ છે. આવનારી જિલ્લા- તાલૂકા તથા નગર પંચાયતો ની ચૂંટણી માં જિલ્લા ભરમાં કોંગ્રેસ નું સંગઠન મજબૂત બને તેવા હેતુથી આ નવી નિમણુંક આપવામાં આવી છે. નવા વરાયેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ધારાસભ્ય આનંદ ચૌધરીની વરણી થતા જિલ્લા ભરમાંથી અનેક શુભેચ્છાઓના સંદેશા મળી રહ્યા છે. આગાઉ પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે રહી ચૂક્યા હતા વિધાનસભાની 18 વિવિધ સમિતિઓની જાહેરાત ગુજરાત વિધાનસભાની 18 વિવિધ સમિતિઓની જાહેરાત કરાઈ.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વિધાનસભાની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરાઈ. સમિતિની જાહેરાત કરતા અધ્યક્ષે જણાવ્યું કે આ સમિતિમાં બને પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે જેને મીની વિધાનસભા પણ કહેવાય છે. સભ્યોની સંખ્યા વધારે હોય તો ચૂંટણી કરવી પડે છે. પરંતુ બને પક્ષોના સભ્યઓએ સમજીને પોતાના સભ્યો ને જે તે સમિતિમાં મુક્યા છે. જેથી સમિતિ બનાવવા માટે કોઈ ચૂંટણી કરવી પડી નથી. જેમાં ખાસ કરીને વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે કોંગ્રેસના પુંજાભાઈ વંશને નિયુક્ત કરવામાં આવ્યા છે. અંદાજપત્ર સમિતિના અધ્યક્ષ બાબુભાઈ બોખરીયા નિમણૂંક થઈ છે.
સરકારની ખાતરી સમિતિમાં વલ્લભભાઈ કાકડીયા અધ્યક્ષ બન્યા છે. જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિ, જાહેર સાહસો સમિતિ સહિત 18 સમિતિઓની ચેરમેન સભ્યોના નામ જાહેર કરાયા છે.