બળવંતપુરા ગામે અનેક સમસ્યાઓ આવી સામે તંત્રએ માર્યા ગામમાં થિંગડા…
- ખરેખર વિજિલન્સ તપાસ જલ્દીથી થાય તેવી જનતાની માંગ
દાંતા તાલુકામાં આવેલું પુંજપુર ગ્રામ પંચાયતના સેજા માં આવેલ બળવંતપુરા ગામની અંદર અનેક વિવિધ પ્રકારના કૌભાંડો સામે આવ્યા હતા અગાઉ પણ પેપરો અને ટીવીઓ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પણ અધિકારીઓને કયો ગ્રહ નડતો હોય તેવુ ગરીબોના મુખે સાંભળવા મળ્યું હતુ બે બે વખત બળવંતપુરા ગામની અલગ અલગ સમસ્યાઓ લઈને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેમ છતાં સુ પેપરના કટિંગ કરી ગામના કચરાના કુંડામાં નાખી દીધા હોય તેવું લોકોના મુખે ચર્ચાની વિષય બન્યો હતો કે અહીં મોટા માથાના લોકો કામ કરતા અને રાજકારણ સાથે સંકળાયેલા હોય તેવું જાણવા મળ્યું હતું તમારા નાનકડા પેપરમાં અહેવાલ છાપવાથી કોઈજ ફેર પડવાનો નથી.
ખરેખર અધિકારી જાતે નિરીક્ષણ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય વધુમાં જણાવાનું કે બળવંતપુરા ગામ લોકો ને પીવાના પાણીનો બોર છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી હતી અને ન્યુઝ પેપરમાં અને ટીવીદ્વારા વારંવાર પ્રસિદ્ધ કરવમાં આવ્યું હતું ત્યારે તંત્ર જાગીને સાફ સફાઈ કરી પંરતુ સમસ્યા તો એમના એમજ જોવા મળી હતી બળવંતપુરા અંદર જે પાણીનું ટાકું બનાવેલ છે તે પણ ઝરઝરી હાલતમાં જોવા મળ્યું હતું અને બોર ચાલુ કરવાનું બોડ છે તે પણ કોઈને કરંટ લાગે અને મોટી જાણહાનિ થાય તેવી હાલતમાં જોવા મળ્યું હતું અને ગામની સીમમાં આવતા જતા માર્ગપર ઢોર ઢાપણ પાણી પીવા માટેના વોજ (હવાડો) બનાવવામાં આવ્યું હતું તે પણ શોભાના ગાંઠિયા જેમ જોવામાં આવ્યું હતું અને તેની અંદર મોટું કૌભાંડ કર્યું હોય તેવું લાગી રહ્યું હતું.
કારણકે તેની અંદર જો સિમેન્ટ કે સારું ગુણવંતા વાળું કામ કર્યું હોત તો અંદર વૃક્ષ કે અન્યુ નાના ઝાડ ન થાત કારણ કે જ્યારથી બનાવેલ ત્યાર થી આજ દિન સુધી તેની અંદર પાણી છોડવામા કે ભરવામાં અવેલ ન હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને આજુબાજુ ની જગ્યા પર કોઈ માથાભારે તત્વો દ્વારા દબાણ કરી જૂનો રસ્તો પચાવી પાડવા કોશશી હાથ ધરવામાં આવી હતી ખરેખર તેને પણ તંત્ર જાગૃત થઇ ખુલ્લું કરાવે તેવી ગામ લોકોની માગ હતી અને ગામના મુખ્ય રસ્તાઓ બીભીષણ અને ખરાબ હલતમાં હોય રોડ ફરીથી સરકાર શ્રી બનાવી આપે તેવી ગામ લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરવામાં આવી હતી અને ગામની અંદર સ્વસ્થ પાણી મળે તે માટે પણ રજૂઆતો સાંભળવા મળી હતી.
વધુમાં જનવાનું કે જ્યાં પીવાના પાણીનો બોર બનાવેલ છે તે પાણી પાઇપ ફાટી જતા અંદર ગંદકીનો ખટકાવ થઇ રહ્યો છે તો તેને તત્કાલના ધોરણે રીપેર કરવામાં આવે તો લોકોને સ્વચ્છ પાણી મળી રહે તેવું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને તેની ટીકા પણ કરી હતી કે પંચાયત તરફ થી અહેવાલ પ્રસિદ્ધ થતા ગ્રામ પંચાયત દ્વારા થિંગડા મારી જતા રહે છે તેવું પણ લોકોએ અલગ અલગ લોકો દ્વારા જાણવા મળ્યું હતું
લક્ષમણ ઝાલા ..દાંતા