કોરોના નિયંત્રણ માટે ત્રણ સોનેરી સૂત્રોનો અંતઃકરણપૂર્વક અમલ કરવા વલસાડ કલેક્ટરની નમ્ર અપીલ
- હંમેશા માસ્ક્ પહેરો – સેનેટાઇઝરનો ઉપયોગ કરો- દો ગજ કી દૂરીનું પાલન કરો
- જરૂર જણાશે ત્યાેરે કાયદાની કડક અમલવારી કરવા વહીવટીતંત્ર સંપૂર્ણ તત્પકર છે – વલસાડ કલેક્ટર આર.આર.રાવલ
વલસાડ,
વલસાડ કલેક્ટ્રશ્રી આર.આર.રાવલે જિલ્લાની પ્રજાજનોને નમ્ર અપીલ કરતાં જણાવ્યુંઅ છે કે, પ્રવર્તમાન કોરોનાની વિષમ પરિસ્થિવતિ સમગ્ર વિશ્વમાં વ્યાેપ્તપ છે, જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત નથી. આ સમયગાળામાં આપણને લોકડાઉનમાંથી મુક્તિપ મળી છે, નહીં કે, કોરોનામાંથી. એટલે મહેરબાની કરીને આપણે સૌ આ ગેરસમજને મગજમાંથી દૂર કરીએ. કોરોનાની આ મહામારીમાં કદાચ હાડમારીનો ભોગ બન્યાા હોઇશું, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર ચોક્કસપણે કટિબધ્ધા, પ્રતિબધ્ધડ અને સંકલ્પ બધ્ધ છે. જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવાના હર ઘડી સંભવ પ્રયાસો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે. પરંતુ નાગરિકો અને પ્રજાતંત્રના સહકાર વિના લોકતંત્રમાં વહીવટીતંત્ર હંમેશા સફળ ના થઇ શકે. પ્રજાના સહકારની જરૂર છે. તેમણે કોરોના નિયંત્રણ માટે ત્રણ સોનેરી સૂત્રોનો અંતઃકરણપૂર્વક અને અક્ષરશઃ અમલની અપેક્ષા વ્યજક્તન કરી છે. ૧. હંમેશા માસ્ક્ પહેરો ર. સેનેટાઇઝરનો ઉપયોગ કરો અને ૩. દો ગજ કી દૂરીનું પાલન કરો.
કોઇપણ એક વ્યયક્તિ ની ભૂલનો ભોગ પરિવાર, આડોશ-પાડોશ, ગામ કે જિલ્લાના પ્રજાજનો ના બને તે માટે વહીવટીતંત્ર અને આરોગ્ય્તંત્રના આદેશનો અંતઃકરણપૂર્ણ અમલ કરી દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે તે ખૂબ જ જરૂરી છે. અને જરૂર જણાશે ત્યાતરે કાયદાની કડક અમલવારી કરવા વહીવટીતંત્ર સંપૂર્ણ તત્પાર છે. જે બાબત પણ ધ્યા ને લેવા અનુરોધ કર્યો છે.