કડીના માલગુરુ મહારાજ આશ્રમ ખાતે વડ અભિયાનની શરૂઆત
- શ્રી માલગુરુ મહારાજ આશ્રમ ખાતેથી કડીમાં વડ અભિયાનની શુભ શરૂઆત
શ્રી ગુરુપૂર્ણિમાના પાવન દિને શ્રી માલગુરુ મહારાજ આશ્રમ – કડી ખાતેથી “વડ અભિયાન” ની શરૂઆત પ્રથમ વડ વાવી ને કરવામાં આવી.
પ્રકૃતિ સંવર્ધનના મહત્વ રૂપ સંદેશ હેતુ શ્રી માલગુરુ મહારાજના આશીર્વાદ સાથે વિશ્વ બંધુ જાગૃતિ મિશન ના પ્રમુખ શ્રી રાજુભાઇ આચાર્યના સહયોગ થી કડી વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રખંડ પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ( સાહેબ ) તથા કડી શહેર પ્રમુખ શ્રી કેવલભાઈ પટેલ ના હસ્તે પ્રથમ વડ વાવવા માં આવ્યું. સાથે શ્રી માલગુરુ મહારાજની ભવ્ય આરતી પણ ઉતારવામાં આવી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ કડીના ઉપ પ્રમુખ શ્રી રુદ્ર ભાઈ જોશી , શ્રી દિનેશભાઇ પટેલ ( માલગુરુ વોટર ) , શ્રી માલગુરુ મહારાજના ભક્તો પણ વિશેષ હાજર રહ્યા. આ અભિયાન અંતર્ગત સમગ્ર કડી શહેરમાં 1000 થી વધુ વડ વાવવામાં આવનાર છે.