ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે ૧૩ કોરોનાના પોઝિટીવ કેસ નોધાયા
- ગ્રામ્ય કક્ષાએ વધુ ૧૦ કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : ૧૭,૬૨૭ વ્યક્તિઓ કોરોન્ટાઇન કરાયા
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૩ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય કક્ષાએ વધુ ૧૦ દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી લેતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યૃ જિલ્લામાં નોધાયું નથી.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ તા. ૦૬મી જુલાઇ, ૨૦૨૦ના ૫.૦૦ કલાક પછી ગાંધીનગર તાલુકામાં પાંચ અને કલોલ તાલુકામાં સાત અને માણસા તાલુકામાં એક મળી ૧૩ કોરોનાના પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં મોટી ચિલોડા ગામમાં ૪૮ વર્ષીય મહિલાને, મહુન્દ્રા ગામમાં ૨૯ વર્ષીય યુવાન, સુધડ ગામમાં ૪૩ વર્ષીય મહિલા, સરગાસણ ગામમાં ૪૫ વર્ષીય પુરૂષ અને પેથાપુર ગામમાં ૨૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમજ કલોલ તાલુકામાં બોરીસણા ગામમાં ૪૫ વર્ષીય પુરૂષ, જેથલજ ગામમાં ૪૩ વર્ષીય પુરૂષ, બાલવા ગામમાં ૭૨ વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં ૭૦ તથા ૭૨ વર્ષીય સ્ત્રી, ૪૬ વર્ષીય પુરૂષ અને ૩૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. માણસા શહેરમાં ૬૪ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે.
અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝિટીવ આંક ૫૪૮ થયો છે. જેમાં ૧૧૯ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ૩૮૧ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૯ વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. ગાંધીનગર જિલ્લામાં ૧૭,૬૨૭ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૧૭,૫૭૯ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન, ૧૪ વ્યક્તિઓને ફેસીલીટી કોરોન્ટાઇન અને ૩૪ વ્યક્તિઓને ખાનગી ફેસીલીટી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.