ખેરાલુમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજરોજ ખેરાલુ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ શહેર ટીમ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ખેરાલુ શહેર ટીમ દ્વારા રસુલપુર ગામની સીમમાં આવેલા નારસંગા વીર મહારાજ ના મંદિરે ૧૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં કરણ લીમડો બોરસલી બીલી સહિત ના અલગ અલગ છોડ નુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ જે ખેરાલુ શહેર પ્રમુખ દિનેશજી ઝાલાજી ઠાકોરની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં હાજર રહેલા જિલ્લા ઇન્ચાર્જ જીવાજી ઠાકોર,કડવાજી,નટુજી, કિર્તીસિહ,ચેહરસિહ,દલસંગજી ઠાકોર અને સમસ્ત ખેરાલુ શહેર ટીમ અને ખેરાલુ સતલાસણા વડનગર મિડીયા સેલ સલાહકાર મનોજ ઠાકોર સહિત ના કાર્યકરો હાજર રહી આ કાર્યક્રમ સફળ આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લે ભોજન લઈ છુટા પડ્યા હતા સાથે સાથે મીડિયા કર્મીઓ નો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો.
રીપોર્ટર : મનોજ બી ઠાકોર (મહેસાણા)