કોરોનાના કારણે બેકાર બનેલા રત્ન કલાકારોને સરકારે શું આપ્યું…?
- સરકારની પ્રથમ જવાબદારી ધારાસભ્યો ખરીદવાની કે પક્ષ પલ્ટા કરાવવાની નહિ પ્રજાના આરોગ્યની આરોગ્ય વ્યવસ્થાનો વિસ્તાર કરવાની લોકો બેકારીનો ભોગ બની ક્રાઇમના માર્ગે ન ચડે તે જોવાની છે
ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતી વ્યવસ્થા ડાયમંડ ઉદ્યોગ છે પરિવાર વાળા બેકાર અને બેરોજગારની મોટી સંખ્યા ઉપર સરકારની અપેક્ષા કેમ? સરકારી તંત્રની છાશવારે દુરુપયોગ પ્રજા માટેનું તંત્ર પાર્ટીનું બની ગયું છે ગુજરાતનો મુખ્ય વ્યવસાય ખેતી અને બીજા નંબર ના સ્થાને ડાયમંડ ઉદ્યોગ છેજે સૌથી વધુ બેકાર બેરોજગાર અભણ લોકોને સક્ષમ રોજગારી પૂરી પાડે છે. જે ધંધામાં સૌરાષ્ટ્ર માથી દરેક ઘરના યુવાનો જોડાયેલા છે ઉપરાંત હિન્દી ભાષી યુવાનો તેમજ મહિલાઓ પણ સામેલ છે કાળા તડકામાં કે કડકડતી ઠંડીમાં કાળી મજદૂરી કરવા કરતા છાયડે બેસી સક્ષમ રોજગારી મળે અને દીકરા કે દીકરીના શિક્ષણની ચિંતા પણ કરે આ કારીગર વર્ગ લેબરની વ્યાખ્યામા જ આવે છે.
એક સમય તો ઘંટીએ આખો દિવસ હીરા ઘસવા ના અને રાત્રે ઘંટી નીચે પગ નાખી સૂવાનું લોજમાં જમવાનું માંકડ અને મચ્છર નો સૌથી વધુ ત્રાસ સહન કર્યો હોય તો રત્ન કલાકારોએ જોકે આજે સ્થિતિમાં સુધારો ખૂબ આવ્યો છે પરંતુ મોંઘવારી ડાયણ બની છે ઘરમાં હોય એ સૌ ધંધો કરે ત્યારે માંડ માંડ ઘર ચાલે અગાઉ તો વરા પ્રસંગે ઉપાડ મળતો અગાઉ જે પગાર થાય તેમાંથી બચત થતી હપ્તાથી મકાન ખરીદી શકાતું બે ભાઈ હીરા ઘસતા હોય તો એકનો પગાર ઘર ચલાવવા અને બીજાનો પગાર હપ્તો ભરવામાં આજે લોન ઉપર જીવતા થઈ ગયા છે મોટર સાયકલની લોન ફોરવિલ હોય તો તેની લોન ટી.વી. હોય તો તેની લોન મકાન હોય તો તેની લોન ધંધાની લોન આ હીરા ઘસુ જાય તો જાય ક્યાં…?
બધે જ કાગડા કાળા છે સૌ બેકાર છે દેવાદાર છે. કોઈ કોઈને મદદ કરી શકે તેવી સ્થિતિ નથી સરકારે ખેડૂતોને વીમો નથી આપ્યો પરંતુ ત્રણ હજારનું પેકેજ આપ્યું કોઈના ખાતામાં ૫૦૦ લેખે આપ્યા પરંતુ રત્ન કલાકારોને ઠેંગો સ્વમાનથી રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચડલાવતો રત્ન કલાકારોનો લાખોનો સમૂહ ધંધા બંધ હોવાથી બેકાર છે હપ્તા ચડે છે ઘર ચલાવવા ફાફા મારે છે સરકારની દ્રષ્ટિ આ બેકાર વર્ગ તરફ કેમ નથી? આજના સમયમાં ભૂમિ વિહોણાબક્ષી પંચ સમાજના આદિવાસી સમાજના અઢારેય વરણ ના લોકો આ ધંધા સાથે સંકળાયેલા અને ખરેખર બેકાર છે શું સરકારની જવાબદારીએ પરિવારોની ચિંતા કરવાની નથી? માત્ર ધારાસભ્યો ખરીદવા વારે વારે ચૂંટણીઓ ચાલુ રાખવી એજ સરકારનું કામ છે ?
કેટલો સમય બેકારી સહન કરી શકશેઆખરે પેટ કરાવે વેઠ બેકારી માથી ગુન્હાખોરી પેદા થશે ત્યારે સરકાર ખાળે ડૂચો મારવા પ્રયાસ કરશે દરવાજા મોકળા હોય ત્યારે ખાળે ડૂચા મારવાથી કાઈ ન વળે કદાચ સરકારની ચિંતા ગરીબી હોત કદાચ સરકારની ચિંતા બેરોજગારી હોત કદાચ સરકારની ચિંતા મોંઘવારી હોત અને સરકારની ચિંતા ગરીબ પરિવારના દીકરા કે દીકરીના શિક્ષણની હોત તો આ પેટા ચૂંટણીઓ ન હોત પૂર્ણ બહુમતીની સરકાર પ્રજાએ લોક ચુકાદાથી આપી છે. કોઈ તમારા ધારાસભ્ય ને ખરીદતું નથી,પક્ષ પલ્ટો કરાવતું નથી કોઈ રિસાઈને ક્યાંય જતા નથી તો ખરીદી પક્ષ પલ્ટો શું કામ? શું લોક ચુકાદા ઉપર ભરોસો નથી શું પ્રજાનું ભલું કર્યું નથી એટલે મત મળે તેમ નથી તેવી દહેશત છે? શું લોક ચુકાદો વેચાણથી લેવાનો ધંધો બનાવી દીધો છે શું આ સિવાય બીજા કોઈ કામ ની ફાવટ નથી?
જ્યાં ઘટે છે ત્યાં સમજી શકાય પરંતુ જ્યા સ્થિર સરકાર ચાલે છે ત્યા ઉથલ પાથલ શું કામ? આ પક્ષ પલટા ખરીદ ફરોષથી પ્રજામાં નફરતનો માહોલ સત્તા સામે બને છે લોકો બેકાર છે લોકો કોરોનાના કહેરનો ભોગ બની ટપોટપ મરી રહ્યા છે ત્યારે સરકાર ની પ્રથમ જવાબદારી ધારાસભ્યો ખરીદવાની કે પક્ષપલ્ટા કરાવવાની નહિ પ્રજાના આરોગ્યની આરોગ્ય વ્યવસ્થાનો વિસ્તાર કરવાની લોકો બેકારીનો ભોગ બની ક્રાઇમના માર્ગે ન ચડે તે જોવાની છે. આજની યુવા પેઢી કોઈ પણ સમાજ હોય સ્વમાનથી જીવવા માંગે છે જે સમાજ કે પરિવારે પ્રગતિ કરી છે તેનું અનુકરણ કરવાની સ્પર્ધામાં છે હવે દેવી પૂજક સમાજની નવી પેઢી પણ ભણી ગણીને નોકરી ધંધાની શોધમાં છે ડાયમંડ ઉદ્યોગ સૌના માટે આશીર્વાદ રૂપ છે પરંતુ મહામંદી મહા મોંઘવારીને મહા બેરોજગારીમાં પીસાતા પરિવારનું કોણ? લોકશાહી દેશમાં જનતા સર્વોપરી હોય,જ્યારે ભારતમાં નેતા સર્વોપરી બની ગયા છે લોક ચુકાદા ખરીદાઈ રહ્યા છે.
મતદાન અગાઉ મતદારોને પ્રલોભનો આપવા ની સિસ્ટમ બની ચૂકી છે પરંતુ જનમત થી ચૂંટાયેલા જન પ્રતિનિધિને પ્રલોભન લોકશાહી એ લાજ કાઢવા જેવું છે આમજ ચાલશે તો જનમતની જરૂર નહિ રહે૨૦ લાખ કરોડ કે રાજ્યના હજારો કરોડના પેકેજ માંથી રત્ન કલાકારોને શું મળ્યું રૂપાણી સરકારનું ઠુલ્લું? ક્યાં સુધી આમ ચાલશે? ક્યાં સુધી લાખો રત્ન કલાકારો ની ઉપેક્ષા થશે? સરકાર પોતે છાશવારે સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે. એટલો દુરુપયોગ ક્યારેય થયો નથી તંત્ર પોતે ભૂલી ગયું છે કરનારી પ્રમાણિક ફરજ અને કામગીરી શું? હવે આ તંત્ર પ્રજા તંત્ર ક્યારે અને કોણ બનાવશે? કોઈ એક પક્ષની તિજોરીમાંથી પગાર ચૂકવાતો હોય તે રીતે એક તરફી ઉપયોગ થઈ રહ્યો છે સરકારી કર્મચારીઓ કોઈ પક્ષના કર્મચારી હોય તેવો અહેસાસ પ્રજા કરી રહીછે
લેખક : લાભુભાઈ કાત્રોડીયા
મો. ૯૪૨૬૫ ૩૪૮૭૪